વર્લ્ડ

અમેરીકાનું મોટુ નિવેદન, કહ્યું ભારત રશિયા અને યુક્રેન યુધ્ધમાં મહત્વની ભુમીકા ભજવી શકે

HD ન્યુઝ ડેસ્કઃ યુક્રેનમાં અમેરિકાના રાજદૂત બ્રિજેટ એ બ્રિંકે બુધવારે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે વધી રહેલા કદ અને G-20 ના વર્તમાન પ્રમુખપદ સાથે, યુક્રેન ભારત યુદ્ધને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. કેટલાક ભારતીય પત્રકારો માટે ખાસ ઓનલાઈન બ્રીફિંગમાં બ્રિંકે કહ્યું કે વિવિધ વૈશ્વિક પડકારોને ઉકેલવામાં ભારતનું નેતૃત્વ મહત્વપૂર્ણ છે.   

ભારત કરી શકે છે મદદઃ યુએસ એમ્બેસેડર બ્રિજેટ એ બ્રિંકે જણાવ્યું હતું કે ગ્લોબલ સાઉથ પર યુદ્ધની પ્રતિકૂળ અસર વિશે નવી દિલ્હીની વધતી જતી ચિંતા કટોકટી ઘટાડવામાં ભૂમિકા ભજવવાનો માર્ગ મોકળો કરે છે. તેમણે કહ્યું કે અમેરિકા સ્વતંત્રતા અને લોકશાહીને સમર્થન આપવા માટે ભારત સહિત વિશ્વભરના અમારા તમામ ભાગીદારો અને સહયોગીઓ સાથે કામ કરવા ઉત્સુક છે.

મૂળભૂત સિદ્ધાંતો પર ભારે અસરઃ યુક્રેનમાં યુએસ એમ્બેસેડર બ્રિંકે કહ્યું કે હું દરરોજ કિવ માંથી બે વસ્તુઓ જોઉં છું. યુદ્ધની વિનાશક અસરો અને યુક્રેનિયન લોકોની સ્થિતિસ્થાપકતા અને લડાઈની ભાવના. રાજદૂતે કહ્યું કે વૈશ્વિક નેતૃત્વ માટેની ભારતની આકાંક્ષાઓ અને G-20 ની વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર થીમ દ્વારા સામૂહિક પગલાં લેવાનું આહ્વાન શાંતિ પ્રાપ્ત કરવા માટે જરૂરી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થા, ખાદ્ય સુરક્ષા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરમાં સમાવિષ્ટ સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના મૂળભૂત સિદ્ધાંતો પર ભારે અસર પડી છે.

ભારતની પ્રશંસા કરીઃ બ્રિંકે કહ્યું કે હું જાણું છું કે ભારતના લોકો સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની સ્વતંત્રતાના મહત્વને સમજે છે અને ભારતના નેતાઓએ આ મૂળભૂત સિદ્ધાંતો વિશે વાત કરી છે. બ્રિંકે લોકશાહી અને કાયદાના શાસન પર આધારિત વૈશ્વિક વ્યવસ્થાને જાળવવાના પ્રયાસો માટે ભારતની પણ પ્રશંસા કરી હતી. બ્રિંકે કહ્યું કે આ વર્ષે G-20 ની અધ્યક્ષતા સાથે તમારા દેશનું નેતૃત્વ યુક્રેન જેવા સ્થળો સહિત વૈશ્વિક વિકાસને આકાર આપવા માટે ચાવીરૂપ છે. યુક્રેન પર રશિયાના હુમલાની ભારતે હજુ સુધી નિંદા કરી નથી. ભારત સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવવા આગ્રહ કરી રહ્યું છે.

આજનો યુગ યુદ્ધનો નથીઃ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ઉઝબેકિસ્તાનના સમરકંદ શહેરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો નથી અને રશિયન નેતાને સંઘર્ષનો અંત લાવવા માટે આહ્વાન કર્યું હતું.

Back to top button