ટોપ ન્યૂઝનેશનલ

ચૂંટણી પહેલા મુખ્યમંત્રી શિવરાજસિંહનો મોટો દાવ : રાજ્ય સરકાર ખેડૂતોને આપશે રૂ.6000

Text To Speech
  • CM કિસાન સન્માન નિધિમાં કર્યો રૂ.2 હજારનો વધારો
  • અત્યાર સુધી મળતા હતા રૂ.4 હજાર
  • હવેથી ખેડૂતોને મળશે રૂ.12 હજાર
  • કેન્દ્ર સરકાર અગાઉથી જ આપે છે રૂ.6 હજાર

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચૂંટણીના વર્ષમાં મહિલાઓ બાદ હવે ખેડૂતો પર મોટો દાવ રમ્યો છે. તેમણે મધ્યપ્રદેશ સરકાર વતી ખેડૂતોને છ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે મધ્યપ્રદેશના ખેડૂતોને દર વર્ષે 12,000 રૂપિયા મળવા લાગશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે. મધ્યપ્રદેશ સરકાર તેની તરફથી સીએમ કિસાન સન્માન નિધિ તરીકે ચાર હજાર રૂપિયા આપી રહી હતી.

એક જ ઝાટકે 6423 કરોડ રૂપિયાની લાભાર્થીઓને આપ્યા

રાજગઢમાં આયોજિત કિસાન કલ્યાણ મહાકુંભમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને ઘણી ભેટ આપી. કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહ અને શિવરાજે એક જ ક્લિક દ્વારા મુખ્યમંત્રી ખેડૂત વ્યાજ માફી યોજના-2023 હેઠળ 11 લાખ ખેડૂતોના ખાતામાં 2,123 હજાર કરોડ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 44.49 લાખ ખેડૂતોના ખાતામાં 2,900 કરોડ, મુખ્યમંત્રી કિસાન-કલ્યાણ યોજના હેઠળ, 70.61 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.1,400 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, આમ રૂ. 6,423 કરોડની રકમ થાય છે. આ પછી 8,500 કરોડના ખર્ચે બનેલ મોહનપુરા-કુંડલિયા સિંચાઈ યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેના દ્વારા બે લાખ 85 હજાર હેક્ટરની વધારાની સિંચાઈ ક્ષમતા વિકસાવવામાં આવશે.

લાડલી બહેના યોજનાના લાભાર્થીને પણ મળશે રકમ

આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કિસાન-કલ્યાણ યોજનામાં રાજ્ય સરકાર હવે રૂ.6000 અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા મળે છે આ રીતે હવે ખેડૂતોને વાર્ષિક 12 હજાર રૂપિયા મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે લાડલી બહના યોજના હેઠળ ટ્રેક્ટર ધરાવતા પરિવારોને પણ લાભ મળશે. ટ્રેક્ટરને ફોર વ્હીલરની શ્રેણીમાં ગણવામાં આવશે નહીં. આ પરિવારોની બહેનોને પણ મહિને 1000 રૂપિયા મળશે. તેમણે કહ્યું કે ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર ખાતર અને બિયારણના એડવાન્સ લિફ્ટિંગ માટે ત્રણ મહિનાનું વ્યાજ પણ ચૂકવશે. ટેકાના ભાવે મગની ખરીદી ટૂંક સમયમાં શરૂ થશે.

Back to top button