ટ્રેન્ડિંગમનોરંજન

‘ધ કેરળ સ્ટોરી’ની અભિનેત્રીને નડ્યો અકસ્માત, અભિનેત્રીએ કર્યુ ટ્વીટ

Text To Speech
  • ‘ધ કેરળ સ્ટોરી’ની અભિનેત્રી અદા શર્માને નડ્યો અકસ્માત
  • અદા શર્મા કથિત રીતે અકસ્માતનો ભોગ બની
  • લોકોએ અભિનેત્રી માટે કરી પ્રાર્થના
  • આ બાબતે શું કહ્યું અદા શર્માએ? વાંચો આ અહેવાલ 

 

અત્યારે દેશભરમાં ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ વિશે ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મને દર્શકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો અચાનક લાઈમલાઈટમાં આવી ગયા. ખાસ કરીને આ ફિલ્મની અભિનેત્રી અદા શર્મા. દરેક વ્યક્તિ તેની હિંમત અને અભિનય કૌશલ્યના વખાણ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી અદા શર્મા કથિત રીતે અકસ્માતનો ભોગ બની છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાતા વધુ સમય લાગ્યો નથી. આખા દેશના લોકો અને તેમના ચાહકો એક્ટ્રેસ માટે પ્રાર્થના કરવા લાગ્યા. લોકોની વધતી ચિંતાને જોઈને અદા શર્માએ તાજેતરમાં એક પોસ્ટ દ્વારા પોતાની સ્થિતિ વિશે માહિતી આપી છે.

 

‘ધ કેરળ સ્ટોરી’માં પોતાના અભિનયથી દરેકના દિલમાં છાપ છોડનાર અભિનેત્રીએ કહ્યું કે તે હવે બિલકુલ ઠીક છે. તેણે ટ્વીટ કરીને જાણકારી આપી કે ચિંતા કરવાની કોઈ વાત નથી. તે અને તેમની આખી ટીમ સાથે ઠીક છે. અકસ્માતના સમાચાર વાયરલ થયા બાદ અદા શર્માને ઘણા લોકોના મેસેજ આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું લોકો અમારી ચિંતા કરી છે. હું અને મારી આખી ટીમ સ્વસ્થ છીએ. અમારી સાથે કોઈ મોટો ગંભીર અકસ્માત થયો નથી. આપ સૌના પ્રેમ બદલ સૌનો આભાર.

આ પણ વાંચો: સૈફ અલી ખાનના 2012ના મારપીટવાળા કેસની થશે સુનાવણી, જાણો સમગ્ર મામલો

Back to top button