ઉત્તર ગુજરાતગુજરાત

ST બસ બની યમદૂત ! બસ સ્ટોપ પર ઉભેલા મુસાફરોને અડફેટે લેતાં 4 ના મોત, અન્ય ઇજાગ્રસ્ત

Text To Speech

આજે વહેલ સવારે ગાંધીનગરમાં એક ST બસ મસાફરો માટે યમદૂત બનીને આવી હતી.કલોલમાં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળતા 4 લોકોના મોત નીપજ્યાં હતા. તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.

એસ.ટી બસે મુસાફરોને અડફેટે લીધા

સલામત સવારી ગણાતી STની મુસાફરી હવે જોખમરુપ બનતી જતી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે સવારે ગાંધીનગરના કલોલમા પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એસ.ટી બસે અડફેટે લેતા 4 લોકોના મોતને ભેટ્યા છે. તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને હાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.

કલોલમાં અકસ્માત-humdekhengenews

4 મુસાફરોના મોત અન્ય ઈજાગ્રસ્ત

ગાંધીનગર જિલ્લાના કલોલમાં અંબિકા નજીક અમદાવાદ તરફ જતી એસટી બસની ટક્કરે મુસાફરોના મોત થતા ચકચાર મચી જવા પામી છે. જાણકારી મુજબ કલોલ અંબિકા બસ સ્ટોપ પર પેસેન્જર ઉભા હતા આ દરમિયાન એક ST બસે આ મુસાફરોને અડફેટે લીધા હતા. પાછળથી આવતી એક લક્ઝરી બસે એસટી બસને ટક્કર મારી હતી. જેથી બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો એસટી બસ રોડ નજીક બેઠેલા મુસાફરો પર જ પર ફરી વળી હતી. જેના કારણે 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

 આ પણ વાંચો : ગમખ્વાર અકસ્માત : આબુરોડ નજીક કાર ટ્રક પાછળ ઘૂસી જતાં ફૂઆ- ભત્રીજી સહિત 4 નાં મોત, 8 ઘાયલ

Back to top button