ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : કોંગ્રેસ નેતા અમિત ચાવડાના જન્મદિને અંબાજીમાં માતાજીને કરાઈ ધજારોહણ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સોમવારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા માતાજીને ધજારોહણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના જન્મદિનને લઈ યોજવામાં આવ્યો હતો. અંબાજી ખાતે વિવિધ પક્ષો અને સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો તેમજ અધિવેશનો યોજાતા હોય છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના જન્મદિનને લઈનેધજારોહણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. માં અંબાના જયઘોષ સાથે જિલ્લાભરમાંથી ઉમટેલા કોંગ્રેસના કાર્યકરો હાથમાં માતાજીની ધજા લઈને મંદિર પરીસરમાં પહોંચ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા અંબાજી દર્શને

જ્યાં માતાજીને અર્પણ કરીને કર્યા બાદ શિખર ઉપર ધજા ચડાવવામાં આવી હતી. જ્યારે ગુરુજી વાટિકામાં યોજાયેલા યોજાયેલી સભામાં સંબોધન બાદ વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી પરિવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :પ્રયાગરાજમાં વધુ એક ચકચારી ઘટના ! ડેપ્યુટી સીએમઓની હોટલમાં લટકતી લાશ મળી 

Back to top button