ટોપ ન્યૂઝનેશનલ

Maharashtra : રાયગઢમાં બસ રોડ પરથી ખીણમાં ખાબકતાં 12નાં મોત, 25થી વધુ ઘાયલ

Text To Speech

મહારાષ્ટ્રના રાયગઢમાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના ખાપોલી વિસ્તારમાં એક બસ રોડ પરથી ઉતરીને ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોએ બસમાં સવાર લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મળતી માહિતી મુજબ બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : આજથી મિલકતો ખરીદવી પડશે મોંઘી, બમણી જંત્રીનો અમલ શરૂ

પોલીસના જણાવ્યા અનુસાર ખાનગી બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી. મુંબઈ-પુણે હાઈવે પર શિંગરોબા મંદિર પાસે બસ કાબૂ ગુમાવી દેતાં રોડ પરથી ઉતરીને ખાડામાં પડી ગઈ હતી. બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. બચાવકર્મીઓ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જઈ બચાવ કામગીરી કરી રહ્યા છે.

Back to top button