ઉત્તર ગુજરાતગુજરાત

પાટણ: સાંતલપુર પાસે ઝઝામ નર્મદા કેનાલ બેસી ગઇ, ખેડૂતોના જીવ તાળવે

Text To Speech

પાલનપુર: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ પાસે થી પસાર થતી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડવાની સાથે કેનાલનો કેટલોક ભાગ દબાઈને બેસી જતા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે આ મામલે લોકોને જાણ થતાં તુરંત જ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેને લઇને તંત્રની સમયસરની સુચકતાના કારણે ખેડૂતોને મોટી નુકસાની થતાં અટકી હોય હાશકારો અનુભવ્યો હતો.

નર્મદા કેનાલ-humdekhengenews

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી પસાર થતી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલની હલકી ગુણવત્તાવાળા કામને લઈને આ વિસ્તારની કેનાલ એકાએક બેસી ગઇ હતી. જેને લઇને ગાબડું પડવાની સ્થિત ઊભી થવા પામી હતી. પરંતુ સ્થાનિક લોકોને આ બાબતે ખ્યાલ આવતા તાત્કાલિક ધોરણે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

નર્મદા કેનાલ-humdekhengenews

જેથી તંત્ર દ્વારા કેનાલ નું પાણી બંધ કરાવામાં આવતા ખેડૂતોના કેનાલ નજીકના ખેતરમાં વાવેતર કરેલા પાકમાં મોટી નુકસાની ટળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. સાંતલપુર પંથકની નર્મદા કેનાલ ના કામમાં થયેલા ભ્રષ્ટાચારનો વધુ એક નમુનો કેનાલમાં ગાબડું પડતા સામે આવ્યો હતો. ત્યારે કેનાલની કામગીરીમાં ભષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા પંથકના લોકોમાં માગણી ઉઠવા પામી. નર્મદાની કેનાલ અવાર નવાર તુટતી હોવાની ઘટનાથી ખેડુતોએ પોતાના ખેતરમાં વાવેતર કરેલા પાકને નુકશાન થતું હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

Back to top button