ટ્રેન્ડિંગનેશનલ

અતીકના પુત્રના એન્કાઉન્ટર પર અખિલેશના ‘શાબ્દિક બાણ’, ‘UP નકલી એન્કાઉન્ટરનો પ્રદેશ બની ગયો છે’

Text To Speech

અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટર પર સપા પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકારને આડેહાથ લીધી છે. અખિલેશ યાદવે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, ‘આજે અમે મધ્યપ્રદેશમાં છીએ અને થોડા સમય પહેલા એક ગાડી અહીંથી ગઈ હતી અને યુપીમાં પલટી ગઈ હતી. ત્યારે બધાએ સવાલ ઉઠાવ્યા હતા કે ગાડી કેવી રીતે પલટી ગઈ?… યુપી નકલી એન્કાઉન્ટરનો પ્રદેશ બની ગયો છે. અધિકારીઓ પોતાની ખુરશી બચાવવા માટે બધું દાવ પર લગાવીને સરકારના દબાણમાં આ બધું કરી રહ્યા છે.

આ પહેલા અખિલેશ યાદવે ટ્વિટ કરીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું, ‘ખોટા એન્કાઉન્ટર કરીને ભાજપ સરકાર સાચા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપને કોર્ટમાં બિલકુલ વિશ્વાસ નથી. આજના અને તાજેતરના એન્કાઉન્ટરની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. શું સાચું કે ખોટું તે નક્કી કરવાનો અધિકાર સત્તાને નથી.

Back to top button