ટોપ ન્યૂઝનેશનલ

લોકસભા પદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત વાયનાડની મુલાકાતે, વિશાળ રેલી કરશે

  • 2019ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી જ જીતીને સંસદમાં પહોંચ્યા હતા
  • વાયનાડ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની શકયતાને પગલે પ્રવાસ શરૂ કર્યા
  • મોદી અટકને લઈ સુરત કોર્ટે જાહેર કર્યા હતા દોષિત

સંસદની સદસ્યતા ગુમાવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પ્રથમ વખત તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડ (કેરળ)ની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ એક રેલીને સંબોધિત કરશે. આ સાથે તેઓ રોડ શો દ્વારા તેમની તાકાત બતાવવાનો પ્રયાસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ વાયનાડ સીટ પરથી જ જીતીને સંસદમાં પહોંચ્યા હતા.

પેટા ચૂંટણી યોજાવાની શકયતા

હવે જ્યારે માનહાનિના કેસમાં તેમનું સંસદ સભ્યપદ છીનવાઈ ગયું છે, ત્યારે ટૂંક સમયમાં વાયનાડ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ શકે છે. આવી સ્થિતિમાં, જો રાહુલ ગાંધીની માન્યતા પર સ્ટે મૂકવામાં આવે છે અને રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી લડે છે, તો શક્ય છે કે તેઓ વાયનાડ બેઠક પરથી જ પોતાનું નસીબ અજમાવી શકે.

જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ સંસદનું સભ્યપદ ગુમાવ્યું

મોદી અટક વિવાદમાં ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની જેલની સજા ફટકારી છે. તેમણે જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ સંસદનું સભ્યપદ પણ ગુમાવ્યું હતું. વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે વાયનાડ સીટ પર રાહુલ ગાંધીની લોકપ્રિયતા અકબંધ છે.

Back to top button