ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: અંબાજીમાં હોમિયોપેથીક નિદાન કેમ્પમાં લોકોને નિ:શુલ્ક સારવાર અપાઈ

Text To Speech

પાલનપુર: આજે વિશ્વ હોમિયોપેથિક દિવસ છે. તેને લઈને વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે ઠેર ઠેર હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે સાથે હોમિયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના શક્તિ દ્વાર પર હોમિયોપેથીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે અંબાજી મંદિરના શક્તિ દ્વારા પાસે વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે હોમિયોપેથિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 10 એપ્રિલ સોમવારે સવારે 9 થી 1:00 વાગ્યા સુધી આયુષ કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા પાલનપુર દ્વારા હોમિયોપેથીક નિદાન સારવાર કેમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સેવા આપનાર મેડિકલ ઓફિસર દાંતા, મેડિકલ ઓફિસર વડગામ, મેડિકલ ઓફિસર પાલનપુર, મેડિકલ ઓફિસર ડીસા, સહ ભાગીદાર થયા હતા. આ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પમાં લોકોને હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિનો સંપૂર્ણપણે માહિતીગાર કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે લોકોને નિ:શુલ્ક સારવાર પણ આપવામાં આવી હતી. અંબાજી મંદિરના શક્તિ દ્વારા આગળ યોજનાર હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસા એપીએમસી માં ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ સહિત છ ઉમેદવાર બિનહરીફ

Back to top button