ગુજરાતટોપ ન્યૂઝ

બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, શોડષોપચાર પૂજન બાદ ગજવેશ ધારણ કરશે

Text To Speech

અમદાવાદઃ સાબરમતી નદીના કિનારે દિલીપદાસજી મહારાજ અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ગંગા પૂજન કર્યું હતું ત્યારબાદ સાબરમતી નદીના મધ્યભાગમાંથી કળશમાં જળ ભરવામાં આવ્યું હતું. આ જળ ભરીને હવે શોભાયાત્રા પરત મંદિરે જશે ત્યારબાદ ભગવાનનો આ જળથી જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ શોડોષચાર પૂજન કરવામાં આવશે. પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કરશે.

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા 1 જુલાઈના રોજ યોજાશે. રથયાત્રા પહેલાં જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રા યોજાતી હોય છે. આજે ભગવાનની જળયાત્રા યોજાઇ છે. શણગારેલા હાથી, ધજા પતાકા સાથે શોભાયાત્રા નીકળી છે.

સાબરમતી નદીના ભુદરના આરે ગંગાપૂજન થશે. ત્યારબાદ 108 કળશમાં પાણી ભરી મંદિરે લાવી પૂજન કરવામાં આવશે. ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે.

આ જળયાત્રા મહોત્સવમાં મુંબઈ ડાકોરના પ.પૂ મંગળપીઠાધીશ યજ્ઞસમ્રાટ ટીલાદ્વારા ગાધાચાર્ય 1008 શ્રી માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદો, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહેશે.

કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતું, માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કોરોના નહિવત કેસો હોવાને પગલે ભવ્ય ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાવાની છે.

ભુદરના આરે ગંગાપૂજન કર્યા પછી ત્યાંથી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. આ જળથી ભગવાનનો મહાભિષેક કરી શોડષોપચાર પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે. સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં પહોંચી જશે અને જ્યાં પણ લોકો દર્શન કરી શકશે.

Back to top button