કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજ્યના વધુ એક શહેરમાં રખડતા શ્વાનનો આતંક : વૃદ્ધને બચકા ભરતા ઈજાગ્રસ્ત

Text To Speech
  • રાજકોટમાં રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવી
  • શ્વાને રસ્તા પરથી પસાર થઈ રહેલા વૃદ્ધને બચકા ભર્યા
  •  શ્વાને બચકા ભરતા વૃદ્ધને પગમાં ત્રણ ટાંકા આવ્યા

રાજકોટ શહેરમાં રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. જેમાં શ્વાને વૃદ્ધને બચકા ભરતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે 108 મારફતે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા  છે.

રખડતા શ્વાને વૃદ્ધને બચકા ભર્યા

રાજ્યમાં એક પછી એક શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક શ્વાનના આતંકની ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે. જેમાં રખડતા શ્વાને એક વૃદ્ધને નિશાને લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે વૃધ્ધને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતા તંત્ર દ્વારા કેમ કોઈ પગલા લેવામા નથી આવતા તેવા સવાલ પણ ઉભા થાય છે.

શ્વાનનો આતંક-humdekhengenews

વુદ્ધને પગમાં ત્રણ ટાંકા આવ્યા

પ્રાપ્ત જાણકારી મુજબ રાજકોટમાં ભક્તિનગર સર્કલના ગીતા મંદિર પાસે ઠાકરસિંહ લીંબાસીયા નામના એક વૃદ્ધ પસાર થઇ રહ્યા હતા આ દરમિયાન એકાએક એક શ્વાન તેમની પાછળ પડ્યું હતું અને શ્વાને તેમના પર હુમલો કરી પગમાં બચકા ભર્યા હતા. શ્વાને બચકા ભરતા વૃદ્ધને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જ્યા વુદ્ધને પગમાં ત્રણ ટાંકા આવ્યા છે.

આ પણ વાંચો : બોટાદ PSIનું હાર્ટ અટેક આવતા નિધન, પોલીસ બેડામાં શોકનો માહોલ

Back to top button