ટોપ ન્યૂઝનેશનલહેલ્થ

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ

Text To Speech

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ બની ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3081 નવા કેસ નોંધાયા છે. તો, 1,323 દર્દીઓ કોરોનાને માત આપી છે. રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. એક્ટિવ કેસોની સંખ્યા 13 હજાર 329 છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1956 નવા કેસ નોંધાયા છે. તો 763 દર્દીઓ સાજા થયા છે. માત્ર મુંબઈમાં જ એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા 9191 છે.

ગુરુવારે, મહારાષ્ટ્રમાં કોરોનાના 2,813 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા લગભગ ચાર મહિનામાં એક દિવસમાં નોંધાયેલા દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. ગુરૂવારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 2701 નવા કેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 7,584 નવા કેસ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 4,32,05,106 થઈ ગઈ છે જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 36,267 થઈ ગઈ છે. સવારે 8 વાગ્યા સુધીના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, વધુ 24 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 5,24,747 થઈ ગયો છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 3,769 નો વધારો થયો છે અને તે વાયરસના કુલ કેસના 0.08 ટકા છે જ્યારે કોરોનાથી સાજા થવાનો દર 98.70 ટકા છે.

Back to top button