ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : અંબાજી થી આબુરોડ જતું ટ્રેલર અકસ્માત બાદ સળગી ઉઠ્યું, એકનું મોત

Text To Speech
  • ટ્રેલરમાં માર્બલના તોતિંગ બ્લોક ભરેલા હતા

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના અંબાજી પાસે આમલીમાળ ગામ પાસે એક માર્બલ ભરેલું ટ્રેલર પલટી ખાઈ ગયું હતું. અને ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.આ ઘટનાને લઈને પોલીસ, ફાયર ફાઈટર અને 108 ઘટના સ્થળે દોડી ગયા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

અંબાજીમાં મોટા પ્રમાણમાં માર્બલ ઉદ્યોગનો વિકાસ થયો છે. અહીંયા થી રાજ્ય અને આંતરરાજ્યમાં માર્બલનું મોટા પ્રમાણમાં વહન થાય છે. ત્યારે આજે અંબાજીથી આબુરોડ જતા ટ્રેલર નંબર આરજે 14 જીજે 8102 માં માર્બલ ના તોતિંગ બ્લોક ભરેલા હતા. જે આંબલીમાળ ગામ પાસે પહોંચતા જ આ ટ્રેલર એકાએક પલટી ખાઈ ગયું હતું. અને ટ્રેલર સાથે અથડાતા વીજ પોલ અને વૃક્ષ ધરાશયી થઈ ગયા હતા. આ દરમિયાન ટ્રેલર પલટતા જ તેના કેબિનના ભાગમાં આગ લાગી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાના સમાચાર મળતા જ પોલીસ, ફાયર ફાઈટર અને 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યારે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : બે દિવસની રાહત બાદ કોરોના ફરી વકર્યો : ગુજરાતમાં આજે વધુ 176 કેસ નોંધાયા, ભરૂચમાં 1 મોત

Back to top button