ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદી સુરત પહોંચ્યા, નવસારીના ખુડવેલમાં જનસભા, 3050 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે; બપોરે અમદાવાદમાં

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરે તે પહેલાં જ સરકાર વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂર્હુત ઝડપથી કરવાના મૂડમાં છે. જે અંતર્ગત આજે વડાપ્રધાન ફરી ગુજરાતની યાત્રાએ આવી રહ્યાં છે. આજે પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભાને સંબોધન કરશે અને અહીંથી જ નવસારી જિલ્લાના 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પર હાલ પહોંચ્યા છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ખુડવેલમાં પહોંચશે, જ્યાં જનમેદનીને સંબોધશે. મોદી 3 હજાર કરોડથી વધુનાં કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે.

વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે

અનેક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આજે ખુડવેલથી વડાપ્રધાન દ્વારા નવસારી જિલ્લાની કુલ 2151 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. જે કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે એમાં 1510 કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની 98 કરોડ, આરોગ્ય વિભાગની 542 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત થશે. લોકાર્પણની વાત કરવામાં આવે તો 901 કરોડના કુલ લોકાર્પણ થશે, જેમાં 749 કરોડની પાણીની યોજના, 85 કરોડ ઊર્જા, 46 કરોડ માર્ગ મકાન, અને 20 કરોડના શહેરી વિકાસનાં કામોનું લોકાર્પણ થશે.

નવસારીમાં મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરીને ઘરઆંગણે જ મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની નેમ વ્યક્ત કરી છે. ત્યારે આજે નવસારી ખાતે અંદાજિત રૂ. 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ વડાપ્રધાન ભૂમિપૂજન કરશે.

મોદી 3 હજાર કરોડથી વધુનાં કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે.

નવસારીમાં નવનિર્મિત નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે
નવસારીના ખુડવેલમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ વડાપ્રધાન નવસારી હાઇવે નંબર 48ને અડીને આવેલી એમ.એ.નાયક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. મલ્ટીકેર હોસ્પિટલમાં કેન્સરને લાગતી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. કાર્ડિયાક, પીડિયાટ્રિક, જનરલ સર્જરી, વર્લ્ડ ક્લાસ સીટી એમઆરઆઈની પણ હોસ્પિટલમાં સુવિધા આપવામાં આવી છે. હોસ્પિટલ કુલ 400 બેડની છે, જેમાં હાલમાં પ્રાથમિક ધોરણે 100 બેડ શરૂ કરવામાં આવશે.

L&T ગ્રુપના ચેરમેન અનિલ નાયકની પૌત્રી નિરાલી અઢી વર્ષની ઉંમરે કેન્સરને કારણે મૃત્યુ પામતાં તેની યાદમાં આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં ફક્ત આમંત્રિતો જ હાજર રહેશે.

આજના કાર્યક્રમ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો
નવસારીના ખુડવેલમાં આયોજિત કાર્યક્રમ માટે 16 IPS,1 IFS,132 DYSP,32 PI,191 PSI, 1718 ASI, 10 નાયબ કલેકટર,962 વુમન પોલીસ,4 ડ્રોન કેમેરા,ASI HC અને PC મળીને કુલ 1718 બંદોબસ્તમાં રોકાશે. પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈ કોઈ વિરોધ ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે.

Back to top button