ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજીમાં મોહનથાળની પ્રસાદી ફરી ચાલુ કરાવવા ‘આપ’ દ્વારા અપાયું આવેદનપત્ર

Text To Speech

પાલનપુર : દેશના 51 શક્તિપીઠ માં સૌથી મુખ્ય ગણાતા શક્તિપીઠ અંબાજી મંદિર માં તંત્રએ અચાનક મોહનથાળ ની પ્રસાદી બંધ કરી દેતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. અને આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવાની માંગ કરી હતી.

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં વર્ષોથી માતાજીને મોહનથાળ ની પ્રસાદી નો થાળ અર્પણ કરી વેચવામાં આવતી હતી પરંતુ હવે તંત્રએ મોહનથાળ ની પ્રસાદી બંધ કરી ચીકીની પ્રસાદી આપવાનું શરૂ કરતાં લોકોની આસ્થા અને ઠેસ પહોંચી છે. અને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં તેનો ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, જે અંતર્ગત આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ મામલે સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને મોહનથાળ ની ચીકી ફરી શરૂ કરવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભક્તોની માંગ છે કે મોહનથાળ ની પ્રસાદી ફરી શરૂ કરવામાં આવે તેને આમ આદમી પાર્ટી પણ સમર્થન આપે છે. વહીવટી તંત્ર જો ઉપવાસી લોકો અને દૂર રહેતા લોકો માટે ચીકીની પ્રસાદ નું આયોજન કર્યું છે જે વૈકલ્પિક રૂપે રાખી મોહનથાળ ની પ્રસાદી ફરી શરૂ કરે તેવી રજૂઆત કરી હતી અને જો તંત્ર દ્વારા મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ’ પણ વાંચો : પાલનપુર : lic અને sbi માં અદાણીના કૌભાંડ ઉજાગર કરવા કોંગ્રેસના ધરણા

Back to top button