ગુજરાતટોપ ન્યૂઝ

સુરેન્દ્રનગરમાં વિકૃતિની હદ, દફનાવેલી બાળકીને બહાર કાઢી દુષ્કર્મ આચરવામાં આવ્યું

Text To Speech

ઘોર કળયુગ ચાલી રહ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દફનાવેલી બાળકીને બહાર કાઢી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તેમાં હૃદયમાં કાણા સાથે જન્મેલી માસૂમનું મોત થતાં દફનાવાઈ હતા. તથા બીજા દિવસે અસ્ત-વ્યસ્ત હાલતમાં ડેડબોડી મળતા પરિવારે આરોપ લગાવ્યો છે કે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આજકાલ સમાજમાં માનવામાં ન આવે તેવું બની રહ્યું છે. સંબંધો ખાલી નામના રહ્યાં છે. પરંતુ લોકો તેમાં હદ વટાવી રહ્યાં છે. લોકોના મગજ પર વિકૃતિ સવાર થઈ રહી છે. આવામાં સૌથી વધુ ભોગ નાના બાળકો બની રહ્યાં છે.

આ પણ વાંચો: બોગસ આધારકાર્ડ બનતા અટકાવવા કેન્દ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

બાળકીને હૃદયમાં કાણું હોવાથી તે જીવી શકી ન હતી

સુરેન્દ્રનગરમાં એક એવી ઘટના બની છે જે માનવામાં ન આવે. આ વાંચીને તમારું મગજ ચકરાઈ જશે કે સુરેન્દ્રનગરમાં દોઢ વર્ષની દફનાવેલી બાળકીના મૃતદેહ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. આ જાણીને માતાપિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં 25 ફેબ્રુઆરીના રોજ એક દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યુ હતુ. પરિવારે જણાવ્યું કે, તેમની બાળકીને હૃદયમાં કાણું હોવાથી તે જીવી શકી ન હતી, અને મોતને ભેટી હતી. જેના બાદ તેના દફનવિધિ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદાને સારો પ્રતિસાદ ના મળતા લેવાશે આ નિર્ણય 

બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો

દફનવિધિ બાદ બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. જેથી પરિવાર સમસમી ગયો હતો. આ બાબતે તેઓએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બાળકીના મૃતદેહની તપાસ કરતા જે જાણવા મળ્યું તે કાળજુ કંપાવનારું હતું. કારણ કે તબીબોએ જણાવ્યું કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે. આખરે કોણે દફનાવેલી બાળકી સાથે આવું કૃત્ય કર્યું. આ સમાચારથી લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

Back to top button