ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનું નિધન

Text To Speech

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસભાના સાંસદ ઓમપ્રકાશ કોહલીનું આજે નિધન થયું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે ટ્વિટ કરીને ઓ.પી. કોહલીને શ્રદ્ધાંજલિ આપી છે.

પૂર્વ રાજ્યપાલનું નિધન-humdekhengenews

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન

મળતી માહીતી મુજબ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે. ઓમપ્રકાશ કોહલીએ ગુજરાતના રાજયપાલ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા હતા. આ સાથે જ તેઓ ભાજપના વરિષ્ઠ નેતા પણ રહી ચૂક્યા છે.ત્યારે આજે 87 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી રાજકારણમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

રાજકીય નેતાઓ પાઠવી શ્રદ્ધાંજલી

મુખ્યમંત્રી, હરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજકીય નેતાઓ સોશિયલ મીડીયા પર પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણકારી મુજબ આવતીકાલે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો : હવે AMCબજેટ સત્રમાં પણ અદાણીનો મુદ્દો ગુંજ્યો, હોબાળો થતાં બજેટ સત્ર એક કલાક માટે મોકૂફ રખાયું

Back to top button