ગુજરાતધર્મ

પ્રમુખસ્વામી મહારાજના જ્યાં અંતિમ સંસ્કાર થયા હતા ત્યાં જ બન્યું ભવ્ય મંદિર, જાણો શું છે તેની ખાસિયત

પવિત્ર તાર્થધામ સાળંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. સાળંગપુર સ્વામીનારાયણ મંદિરના પ્રાગંણમાં બાપાના અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યારે આ જ બ્રહ્મલીન સ્થળ પર તેમનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.

પ્રમુખ સ્વામી મહારાજનું ભવ્ય મંદિર બનીને તૈયાર

19 ઓગસ્ટ, 2016 નો દિવસ હરિભક્તો ક્યારેય ભુલી શકે તેમ નથી આ દિવસે પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા અનુસાર સાળંગપુર સ્વામીનારાયણ મંદિરના પ્રાંગણમાં જ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યાં જ તેમનું ભવ્ય મંદિર બનાવવામા આવ્યું છે.

પ્રમુખસ્વામી મહારાજ મંદિર -humdekhengenews

પ્રમુખસ્વામી મહારાજે વ્યક્ત કરી હતી આ ઈચ્છા

હરીભક્તો માટે વધુ એક ધામ બનીને તૈયાર થઈ ગયું છે. પ્રમુખ સ્વામી મહારાજબ્રહ્મલીન થયાના ચાર વર્ષમાં આ મંદિર બની ગયું છે. અંતિમ દિવસોમાં ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારી પર રહે એવી જગ્યાએ મારા અંતિમસંસ્કાર કરજો… જેથી અહી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અને આ જ સ્થળ પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે.

મંદિરની ખાસિયતો

સાળંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં અક્ષરપુરુષોત્તમ મંદિર અને શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરના બે ધ્રુવ વચ્ચે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર આકાર પામ્યું છે. ચાર વર્ષમાં આ મંદિર બનીને તૈયાર થયું છે. આ મંદિરને બનાવવા માટે રાજસ્થાનના મકરાણા માર્બલનો ઉપયોગ કરવામા આવ્યો છે. તેમજ મંદિરમાં 25થી 30 હજાર ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરનો દેખાવ દૂધ જેવો સફેદ છે. જે લોકોને આકર્ષિ રહ્યો છે.

પ્રમુખસ્વામી મહારાજ મંદિર -humdekhengenews

અક્ષરધામ મંદિર જેવી જ ડિઝાઈન રાખવામાં આવી

આ મંદિરની ડિઝાઈન મંદિર નિર્માણ કાર્યમાં માહેર એવા પ્રકાશ સોમપુરાએ બનાવી છે. આ સ્મૃતિ મંદિરનું સ્વરૂપ પણ અક્ષરધામ જેવું જ રાખવામાં આવ્યું છે આ મંદિર નાગરાદિ સ્થાપત્યશૈલીમાં બનાવવામાં આવ્યું છે. અને આ મંદિરની 140 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 6.3 ફૂટ છે,આ મંદિરમાં 7,839 પથ્થરના સંયોજનથી 1 ઘુમ્મટ, 4 સામરણ અને 16 ઘુમ્મટી આવેલી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ઈ-ટ્રાફિક કોર્ટનું નિર્માણ કરાશે, ટ્રાફિક પોલીસના ઈ-ચલણના વિવાદોનો થશે નિકાલ

Back to top button