ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સિદ્ધુ મૂસેવાલાના પરિવારને મળ્યા, પિતા થયા ભાવુક

Text To Speech

સિદ્ધુ મૂસેવાલાના પરિવારે ચંદીગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન દિવંગત ગાયકના પિતા ભાવુક થઈ ગયા હતા. બેઠકની તસવીરો સામે આવી છે. 29 મેના રોજ, પંજાબના માનસા જિલ્લામાં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. ત્યારથી પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સિદ્ધુને સતત મળતી ધમકીઓ વચ્ચે તેમની સુરક્ષામાં ઘટાડો કર્યા બાદ તેમની હત્યાના કારણે પંજાબની ભગવંત માન સરકાર વિરોધનો સામનો કરી રહી છે. સિદ્ધુ મૂસેવાલાના પરિવારે સિદ્ધુ હત્યા કેસમાં CBI તપાસની માંગ કરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલા શુક્રવારે પંજાબના સીએમ ભગવંત માન સિદ્ધુ મૂસેવાલાના ઘરે ગયા હતા. સિંગર સિદ્ધુના પિતા અને પરિવારના સભ્યોને મળ્યા હતા. જોકે આ દરમિયાન તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે પંજાબ સરકારે સિદ્ધુ મૂસેવાલા સહિત 424 લોકોની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો અને એ પછી આ ઘટના ઘટી હતી.

28 મેના રોજ સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો
પંજાબ પોલીસે 28 મેના રોજ સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા ઘટાડતા જ બીજા દિવસે 29 મેના રોજ આરોપીઓએ એક પછી એક અંધાધૂંધ ફાયરિંગ કરીને સિદ્ધુની હત્યા કરી નાખી. આ પહેલા પંજાબ પોલીસના 4 જવાનો સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષામાં તૈનાત હતા. જો કે, તેમાંથી સુરક્ષા ઘટાડી બે પોલીસ કમાન્ડોને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

Back to top button