ધર્મનેશનલ

એપ્રિલથી શરૂ થશે Chardham Yatra 2023 : બદ્રીનાથ ધામ યાત્રા માટે તંત્રએ જાહેર કર્યો માર્ગ પ્લાન

Text To Speech

આગામી એપ્રિલ મહિનાથી ચારધામ યાત્રા 2023નો પ્રારંભ થઇ રહ્યો છે. જેને લઈને સ્થાનિક વહીવટી તંત્રએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચારધામ યાત્રા દરમિયાન જોખમી જોશીમઠમાં યાત્રા વાહનોની અવરજવર પહેલાની જેમ કરવામાં આવશે. સ્થાનિક પોલીસ તરફથી ટ્રાફિક પ્લાન હેઠળ યાત્રા વાહનોને મારવાડી ચોકથી નૃસિંહ મંદિર થતા બદરીનાથ ધામ માટે રવાના કરવામાં આવશે જ્યારે પેટ્રોલ પંપથી મુખ્ય બજાર થતા વાહનોની નિકાસી કરવામાં આવશે. લોકલ વાહનોને પણ આ ટ્રાફિક પ્લાનથી પસાર થવાનું રહેશે.

આ પણ વાંચો : Women’s Premier League નું શેડયૂલ જાહેર, 4 માર્ચથી શરૂ થશે ટુર્નામેન્ટ

શું છે હાલ રસ્તાની પરિસ્થિતિ ?

ચારધામ યાત્રાના રૂટ પૈકી જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલનના કારણે બદરીનાથ હાઈ-વેમાં ઘણી જગ્યાએ તિરાડો પડવાથી આ હાઈવે અત્યંત બિસ્માર અવસ્થામાં પહોંચી ગયો છે. અહીંના સિંહધારમાં માઉન્ટ વ્યૂ અને મલારી ઈન હોટલના ડિસ્મેન્ટલ કાર્યથી હાઈવેની સ્થિતિ જોખમી બની ગઈ છે. અહીં હાઈવે લગભગ 20 મીટર સુધી ભૂસ્ખલનની ચપેટમાં છે. છેલ્લા એક મહિનાથી નાના-મોટા વાહનોની અવર-જવર પણ ઔલી માર્ગ પરથી કરવામાં આવી રહી છે. તેવામાં ચારધામ યાત્રાના નજીક આવવાની સ્થિતિને જોતા યાત્રા વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગની તપાસ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા રચાયેલા ઝવેરી કમિશનની મુદ્દત વધારાઈ

હાઇવેનું સમારકામનું કાર્ય કરવામાં આવી રહ્યુ છે

ચારધામ યાત્રાને લઈ પોલીસ તંત્ર તરફથી સરહદ માર્ગ સંગઠન (બીઆરઓ) અને લોક નિર્માણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને જૂના ટ્રાફિક પ્લાનને જ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ અંગે પીપલકોટી, BRO કમાન્ડિંગ ઓફિસરે કહ્યુ કે ચારધામ યાત્રા શરૂ થવા પહેલા મલારી ઈન અને માઉન્ટ વ્યૂ હોટલથી જોશીમઠ નગરના બદરીનાથ સ્ટેન્ડ સુધી હાઈવેનું ડામરીકરણ કાર્ય કરવામાં આવશે. હોટલોનું ધ્વસ્તીકરણનું કાર્ય પૂરુ થવાના ઝડપી બાદ હાઈવેનું સુધારીકરણ કાર્ય શરૂ કરવામાં આવશે. પેટ્રોલ પંપથી જેપી કોલોની અને મારવાડી બ્રિજ સુધી હાઈવેનું સમારકામ યાત્રા શરૂ થયા પહેલા પૂરુ કરી લેવામાં આવશે.

Back to top button