મનોરંજન

મુકેશ અંબાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીને આપી મોટી ભેટ, જાણો શું છે ખાસ

Text To Speech

ફિલ્મ જગતના જાણીતા સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે લગ્ન પછી સતત હેડલાઇન્સમાં છે. બંનેના લગ્ન સાથે જોડાયેલી ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જેના પર તેમના ચાહકો સતત પ્રેમ દર્શાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સિદ્ધાર્થ અને કિયારાને મુકેશ અંબાણી તરફ મોટી ભેટ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સિદ્ધાર્થ અને કિયારા-humdekhengenews

મુકેશ અંબાણીએ આપી મોટી ભેટ

સિદ્ધાર્થ અને કિયારા તેમની લવ સ્ટોરીને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતા. અને 7 ફેબ્રુઆરીએ બંન્નેએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન પરિવારની સાથે ફિલ્મ સ્ટાર્સ પણ લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આટલું જ નહીં મુકેશ અંબાણીની દીકરી ઈશા પણ લગ્નમાં પહોંચી હતી, જે કિયારા અડવાણીની ઘણી સારી મિત્ર છે, હવે લગ્ન કર્યા બાદ સિદ્ધાર્થ અને કિયારા સતત ચર્ચામાં છે. જાણવા મળી રહ્યું છે કે દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આ નવવિવાહિત કપલને સૌથી મોટી ભેટ આપી છે. મુકેશ અંબાણીએ સિદ્ધાર્થ અને કિયારાને તેમની કંપની રિલાયન્સ ટ્રેન્ડ્સ ફૂટવેરના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.

આ કારણે કરાઈ પસંદગી

સિદ્ધાર્થ અને કિયારાને રિલાયન્સ ટ્રેન્ડ્સ ફૂટવેરના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિલાયન્સ રિટેલ લિમિટેડના ફેશન અને લાઇફસ્ટાઇલ પ્રેસિડેન્ટ અને સીઇઓ અખિલેશ પ્રસાદ કહે છે, ‘કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડના બે સૌથી લોકપ્રિય અને પ્રતિભાશાળી યુવા આઇકોન છે. બંનેને લોકો ખૂબ પસંદ કરે છે અને બંને સ્ટાર્સની સારી ફેન ફોલોઈંગ છે. આવી સ્થિતિમાં બંનેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાથી આપણા યુવાનો સાથેનો સંબંધ મજબૂત થશે.

આ પણ વાંચો : હવે ખાંડની મીઠાશ થશે કડવી ! આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો 6 વર્ષની સર્વોચ્ચ સપાટીએ

Back to top button