સ્પોર્ટસ

ઋષભ પંત પર ઉર્વીશીએ નહીં પણ આ ‘ગર્લફ્રેન્ડે’ પ્રેમ વરસાવ્યો, જાણો ફોટો પર શું કમેન્ટ કરી

થોડા સમય ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો કાર અકસ્માત થયો હતો. હાલમાં અકસ્માતના કારણે તે નાગપુર ટેસ્ટથી દુર છે. કાર અકસ્માત બાદ તેને સર્જરી કરવાની જરૂર પડી હતી. સર્જરી પછી તેણે પહેલો ફોટો શેર કર્યો છે. શેર કરેલ ફોટોમાં ઋષભ પંત ઘોડીના સહારે ચાલતો જોવા મળે છે. ઋષભ પંત દ્વારા શેર કરવામાં આવેલ આ ફોટા પર તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પણ કોમેન્ટ કરી છે. ઈશા નેગીએ રિષભ પંતને કોમેન્ટમાં શું કહી પ્રેમ વરસાવ્યો આવો જાણીએ.

ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો કાર અકસ્માત થયું હતું. આ એક્સીડેંટના તે ગંભીર રીતે ઘવાયો હતો અને કોકિલાબેન હોસ્પિટલ સારવાર કરવામાં આવી હતી તેમજ સર્જરી કરવાની ફરજ પડી હતી. છેલ્લા ઘણા સમયથી તે ક્રિકેટથી દુર છે. હાલ તેનું પુનર્રવસન ચાલી રહ્યું છે. સર્જરી પછી ઇન્સ્ટાગ્રામ પર તેને પહેલો ફોટો શેર કર્યો છે. જેમાં તે ઘોડીના સહારે ચાલતો જોવા મળી રહ્યો છે અને તેના પગે પ્લાસ્ટરનો પાટો બાંધેલો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:ઋષભ પંતના ચાહકો માટે સારા સમાચાર, ક્રિકેટરની તબિયત સુધારા પર

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ ફોટોમાં ઋષભ પંતે લખ્યું છે કે, ‘એક ડગલું આગળ, એક ડગલું મજબુત અને એક ડગલું સારુ.’ ઋષભ પંતની આ પોસ્ટ પર તેના ફેંસ ફોલોવાર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને તે ઝડપથી ફીટ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

Rishbh Pant Hum Dekhenege News

ઋષભ પંતની ઇન્સ્ટાગ્રામની આ પોસ્ટ પર ફેંસ ફોલોવાર તો કમેન્ટ કરી રહ્યા છે પરંતુ તેની ગર્લફેન્ડ ઈશા નેગીએ પણ કમેન્ટ કરી છે. ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ તેને ‘Fighter’ કહ્યું છે. એટલું જ નહી રેડ કલરના હાર્ટનું ઈમોજી પણ મુક્યું છે. 30 ડિસેમ્બર 2022એ ઋષભ પંતના કાર અકસ્માત પછી તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગી એક મહિના સુધી સોશિયલ મીડિયાથી ગાયબ હતી અને આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ પણ કરી નથી.

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)

આ પણ વાંચો:ક્રિકેટર ઋષભ પંતે સર્જરી બાદ ચાલવાની પ્રેક્ટિસ કરતો પહેલો ફોટો કર્યો શેર, જાણો શું કહ્યું ?

કાર અકસ્માત પછી ક્રિકેટની દુનિયામાં ક્યારે પાછા ફરશે તે હજી નક્કી નથી. પરંતુ એવું અનુમાન કરી શકાય કે હજી કેટલાક મહિના તે ક્રિકેટથી દુર જ રહેશે.હાલમાં નાગપુર ખાતે ટેસ્ટ મેચ ચાલી રહી છે જેમાંતે રમી નથી શક્યો. જયારે ગત મહિને શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે રમાયેલ સિરીઝમાં પણ તે બહાર હતો. ઋષભ પંત આવનાર એશિયા કપ અને IPLથી બહાર હશે તેવી પુરી સંભાવના છે. વર્લ્ડ કપમાં રમવા પર પણ પ્રશ્નાર્થ જ છે.

ઋષભ પંતને લઇ કપિલ દેવે આ નિવેદન આપ્યું

ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન અને પ્રથમ વર્લ્ડકપ અપાવનાર કપિલ દેવે હેરાન કરે તેવું નિવેદન આપ્યું હતું. કપિલ દેવે કહ્યું હતું કે ઋષભ પંત ફીટ થઈને આવશે તો સૌથી પહેલા તેને લાફો મારીશ. કપિલ દેવે કહ્યું કે ઋષભ પંતને તે પોતાના પુત્ર સમાન માને છે અને તેને ખૂબ પ્રેમ કરે છે. પંતની એક ભૂલથી આજે ટીમ ઇન્ડિયાનું કોમ્બીનેશન બગડી ગયું છે.

આ પણ વાંચો:ભારતીય ખેલાડીઓ પર ભડક્યા કપિલ દેવ, કહ્યું ન રમવું હોય તો કેળાની દુકાન લગાવો..

હાલમાં ચાલી રહેલ નાગપુર ટેસ્ટમાં ઋષભ પંતની ગેરહાજરની ખોટ વર્તાઈ રહી છે. ઋષભ પંત 5 નંબરે બેટિંગ કરી ટીમમાં યોગદાન આપતો રહ્યો છે. સાથે વિકેટકીપિંગ અને સ્પિનરો સામે પણ સારુ પ્રદર્શન કરે છે. પંતના સ્થાને કેએસ ભરત અને ઇશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Back to top button