ટ્રેન્ડિંગધર્મ

ક્યારે મનાવાશે કુંભ સંક્રાંતિઃ સુર્યદેવની કૃપા મેળવવા માટે કરો આ કામ

Text To Speech

હિંદુ ધર્મમાં કુંભ સંક્રાંતિનું ખાસ મહત્ત્વ છે. મકરસંક્રાંતિની જેમ જ આ દિવસે સ્નાન-ધ્યાન, દાન-પુણ્ય કરવામાં આવે છે. સંક્રાંતિ પર ગંગા સ્નાનું મહત્ત્વ હોય છે. તે રીતે આ દિવસે પણ ગંગા, યમુના કે કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી સુર્યદેવ પ્રસન્ન થાય છે અને ભક્તને તેમની કૃપા મળે છે. આ વર્ષે કુંભ સંક્રાંતિ 13 ફેબ્રુઆરી 2023ના રોજ મનાવવામાં આવશે.

ક્યારે મનાવાશે કુંભ સંક્રાંતિઃ સુર્યદેવની કૃપા મેળવવા માટે કરો આ રીતે પુજા hum dekhenge news

મહા મહિનામાં કુંભ સંક્રાંતિના દિવસે પણ સુર્યનું રાશિ પરિવર્તન થાય છે. આ દિવસ દરમિયાન સુર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશે છે, જેને કુંભ સંક્રાંતિ કહેવાય છે. આ દિવસે ગાયોના દાનનું ખુબ જ મહત્ત્વ છે. સાથે સાથે ગંગામાં સ્નાન કરવાનું પણ શુભ માનવામાં આવે છે. કુંભ સંક્રાંતિના દિવસે વિધિ-વિધાનથી સુર્ય દેવની પુજા થાય છે. પુર્ણિમાં, અમાવસ્યા અને એકાદશીનું જેટલું મહત્ત્વ છે તેટલુ જ સંક્રાંતિ તિથિનું પણ હોય છે.

કુંભ સંક્રાંતિના મુહુર્ત

કુંભ સંક્રાંતિનું શુભ મુહુર્ત 13 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 7.02 વાગ્યે છે. આ દિવસે શરૂ થઇને તે સવારે 9.57 વાગ્યા સુધી શુભ મુહુર્ત છે. પુણ્ય કાળ મુહુર્તનો સમયગાળો લગભગ 2.55 કલાકનો છે.

ક્યારે મનાવાશે કુંભ સંક્રાંતિઃ સુર્યદેવની કૃપા મેળવવા માટે કરો આ રીતે પુજા hum dekhenge news

શું છે મહત્ત્વ

સૂર્ય ભગવાનની પૂજાથી પરિવારમાં કોઈપણ વ્યક્તિ ઉપર મુસીબત આવતી નથી કે કોઇ રોગ થતો નથી. સાથે જ સુર્યનારાયણના આશીર્વાદથી જીવનના અનેક દોષ પણ દૂર થઈ જાય છે. વ્યક્તિની પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થાય છે. આ દિવસે ખાદ્ય વસ્તુઓ, વસ્ત્રો અને ગરીબોને દાન આપવાથી અનેક ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે.

આ દિવસે કરો આ કામ

  • બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ગંગા સ્નાન કરો. જો ગંગા સ્નાન શક્ય ન હોય તો સવારમાં વહેલા સ્નાન કરી લો.
  • પાણીમાં ગંગા જળ ભેળવીને તેમજ તલ ભેળવીને સુર્યનારાયણને અર્ઘ્ય આપો.
  • ભગવાન સુર્યના 108 નામનો જાપ કરો અને સુર્ય ચાલીસાના પાઠ કરો.
  • પુજા કર્યા બાદ કોઇ ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરો.
  • દાનમાં ખાવા પીવાની વસ્તુઓ અથવા વસ્ત્રો આપી શકો છો.
Back to top button