વર્લ્ડ

પાકિસ્તાનના પૂર્વ PMનો સમર્થકોને આહ્વાન, જેલ ભરો તહરીકની તૈયારીઓ કરો

Text To Speech

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને શનિવારે તેમના કાર્યકરો અને સમર્થકોને તેમના પક્ષના નેતાઓની કસ્ટડીમાં ત્રાસ આપવા અને નવી સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં વિલંબ માટે કેન્દ્ર સરકાર સામે વિરોધ કરવા નિર્દેશ આપ્યો હતો. ‘જેલ ભરો તહરીક’ (જેલ ભરો) ચળવળ માટે તૈયાર રહો તેવું હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાને શનિવારે તેમના જમાન પાર્ક નિવાસસ્થાન પરથી ટેલિવિઝન સંબોધન દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

બધાની ધરપકડ કરીને રાખવા જેલની જગ્યા પુરતી નથી

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા તેમની પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરી અને નેશનલ એસેમ્બલીના ભૂતપૂર્વ સભ્ય શાંતના ગુલઝાર વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. ઇમરાને કહ્યું, હું લોકોને તૈયાર રહેવા કહું છું અને મારા ‘જેલ ભરો તહરીક’ના કોલની રાહ જુઓ. પાકિસ્તાનની જેલો પાસે તે બધાને રાખવા માટે પૂરતી જગ્યા નથી. વધુમાં તેમણે કહ્યું કે જો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ની આગેવાની હેઠળની સરકાર અને સૈન્ય સંસ્થાનમાં તેમના આકાઓ એવું વિચારે છે કે “અમે ઉત્પીડન અને કસ્ટડીમાં ત્રાસથી ડરી જઈશું, તો તેઓ ખોટા છે”. પીટીઆઈ ચીફે કહ્યું, મારા કોલની રાહ જુઓ.. હું તમને જેલો ભરવાનો સંકેત આપીશ. હું જાણું છું કે જેલો ભરાઈ જશે કારણ કે તેમની પાસે એટલી ક્ષમતા નથી.

ફવાદ ચૌધરીની લાહોરમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરાઈ

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના સાથી ફવાદ ચૌધરીની ગયા અઠવાડિયે લાહોરમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના ચૂંટણી પંચના સચિવની ફરિયાદ પર ઈસ્લામાબાદના કોહસાર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. સેક્રેટરીએ તેના પર તેને અને તેના પરિવારના સભ્યોને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. દરમિયાન, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અનામત મહિલા બેઠક પરથી ચૂંટાયેલા ગુલઝાર પર ‘દેશની બંધારણીય સંસ્થાઓ સામે હિંસા ભડકાવવા’ માટે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ફવાદ ચૌધરીને સવારે 3 વાગ્યે ઘરેથી ઝડપી લેવામાં આવ્યો હતો. શાંદના ગુલઝારે એવું શું કર્યું કે તેને આતંકવાદી બનાવ્યો? કોર્ટ શેખ રશીદને જામીન આપી રહી છે, તેથી તેની સામે વધુ કેસ ચાલી રહ્યા છે.

Back to top button