પેશાવર હુમલાથી પાકિસ્તાનીઓમાં દહેશત, હવે સરકારે તાલિબાન નેતાઓની મદદ માંગી

પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓને કારણે પાકિસ્તાન આર્મી અને સરકાર મૂંઝવણમાં છે. તેઓ આ સૌથી મોટી સમસ્યાઓનો સામનો કરવાનો રસ્તો શોધી શકતા નથી. આ સમસ્યાઓનું મૂળ સેના અને સરકારની નીતિઓ સાથે પણ જોડાયેલું છે. એક સમયે ઇસ્લામના નામે પાકિસ્તાને કેમ્પો બનાવીને આતંકવાદીઓને ટ્રેનિંગ આપી હતી, આ ફિતરત પાકિસ્તાનીઓ માટે સમસ્યાનું કારણ બની ગઈ છે. અફઘાનિસ્તાન પર અમેરિકાના હુમલા વખતે પાકિસ્તાન તાલિબાનોનું આશ્રયસ્થાન હતું, આજે પાકિસ્તાન સરકાર મુશ્કેલીમાં છે ત્યારે ખુદ તાલિબાનો આગળ આજીજી કરી રહ્યું છે.
PESHAWAR: Death toll risea to 98 from the suicide attack inside a mosque in #Peshawar, Pakistan. 150 others were wounded in the past. Majority of the victims were young policemen. #Pakistan#PeshawarAttack pic.twitter.com/rrjMrgqxP7
— Syed Zabiullah Langari (@syed2000) February 1, 2023
પેશાવર હુમલા બાદ પાકિસ્તાન ગભરાયું
અફઘાન-તાલિબાનની છત્રછાયામાંથી બહાર નીકળેલા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન તે પાકિસ્તાનીઓના જીવનું દુશ્મન બની ગયું છે. 30 જાન્યુઆરીએ પાકિસ્તાનની મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ પછી, પાકિસ્તાન સરકારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન પર લગામ લગાવવા માટે તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાની દરમિયાનગીરીની માંગ કરી છે.
At a time of rising inflation & unemployment this Imported Govt showed its callousness again by demolishing street vendor carts in Islamabad's I 10 sector provided by our Govt under Ehsaas Rehriban prog. Condemnable inhumane act deliberately targeting the poor & vulnerable. pic.twitter.com/D68h2hVqqk
— Imran Khan (@ImranKhanPTI) February 4, 2023
અહીં એ સમજવું મુશ્કેલ નથી કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) પાકિસ્તાની સેના અને સત્તા બંને માટે એક મોટો પડકાર છે. 2014માં પણ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનએ પેશાવરમાં આર્મી સ્કૂલ પર હુમલો કર્યો હતો, જેમાં સેંકડો સ્કૂલના બાળકો માર્યા ગયા હતા. એ જ રીતે, તાલિબાન લડવૈયાઓ વિવિધ રહેણાંક વિસ્તારોમાં ઘાતક હુમલાઓ કરી રહ્યા છે. જેના કારણે પાકિસ્તાન સરકારે TTPને પ્રતિબંધિત જાહેર કરી દીધું.
પેશાવર હુમલા બાદ સરકારની ચિંતા વધી
પ્રતિબંધ હોવા છતાં, TTP પાકિસ્તાનમાં ખતમ નથી થયું, પરંતુ તે માથાનો દુખાવો બની ગયો છે. TTPએ તાજેતરમાં પેશાવરમાં એક મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી હતી જેમાં 30 પોલીસકર્મીઓ સહિત 100 થી વધુ પાકિસ્તાનીઓના મોત થયા હતા. આ હુમલા બાદ પાકિસ્તાનના ઘણા શહેરોમાં સ્થાનિક લોકોએ મોટા પાયે આતંકવાદ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
પાકિસ્તાન સરકારે પેશાવરમાં સર્વોચ્ચ સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન શાહબાઝ શરીફે કરી હતી. બેઠકમાં ભાગ લેનારાઓમાં આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીર, ડીજી ISI લેફ્ટનન્ટ-જનરલ નદીમ અંજુમ, પેશાવર કોર્પ્સ કમાન્ડર, ડીજીએમઓ અને અન્ય સૈન્ય અધિકારીઓ તેમજ વરિષ્ઠ કેબિનેટ સભ્યો અને ચાર પ્રાંતના મુખ્યમંત્રીઓ સામેલ હતા. તે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે TTPને રોકવા માટે, તાલિબાનના મુખ્ય નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાની દરમિયાનગીરીની માંગ કરવામાં આવશે. એટલે કે આ મામલો અફઘાનિસ્તાનની વર્તમાન તાલિબાન સરકાર પાસે ઉઠાવવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાન સરકારે ટોચના તાલિબાન નેતૃત્વને કોઈ રીતે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTPને રોકવાની માંગ કરી છે. પાકિસ્તાન સરકારના પ્રતિનિધિઓએ કહ્યું કે તાલિબાન સરકારે ખાતરી કરવી જોઈએ કે પાકિસ્તાનને “સીમા પાર” આતંકવાદથી ખતરો નથી.
અફઘાન સત્તાવાળાઓએ પાકિસ્તાન સરકારની વિનંતી પર હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. જો કે, ટોલો ન્યૂઝમાં કહેવામાં આવ્યું હતું કે અફઘાન તાલિબાનના નેતાએ પાકિસ્તાન સરકારને સ્પષ્ટ કહ્યું છે કે તેમની વર્તમાન સરકાર અન્ય દેશો ખાસ કરીને પાકિસ્તાનને અફઘાનિસ્તાનથી ખતરો બનવા દેશે નહીં.
TTP શરિયા કાયદાનું સમર્થક
TTPએ મુસ્લિમ જૂથોનું કટ્ટરપંથી સંગઠન છે, જે વિશ્વમાં આતંકવાદી સંગઠન તરીકે ઓળખાય છે. કહેવા માટે તે અફઘાન તાલિબાનનો ભાગ નથી, પરંતુ તે તેની સાથે જોડાયેલ છે. છેલ્લા 14 વર્ષથી તેણે પાકિસ્તાનમાં અનેક હુમલા કર્યા છે. તે લાંબા સમયથી ઇસ્લામિક કાયદાના કડક અમલની હિમાયત કરી રહી છે. ઉપરાંત, તે માંગ કરે છે કે તેના તમામ નેતાઓને જેલમાંથી મુક્ત કરવામાં આવે.