ટોપ ન્યૂઝનેશનલ

કેજરીવાલે એક્સાઇઝ પોલિસી કેસમાં EDની ચાર્જશીટ પર ઉઠાવ્યા સવાલ

Text To Speech

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી કેસમાં EDની ચાર્જશીટ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ કેસ નકલી છે.

કેજરીવાલે EDની ચાર્જશીટના પ્રશ્ન પર કહ્યું કે ગોવામાં દારૂની નીતિના નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, “EDએ 5000 કેસ દાખલ કર્યા હોવા જોઈએ, પરંતુ કંઈ થયું નહીં. કેટલા લોકોને સજા થઈ. આ એજન્સી માત્ર ધારાસભ્યોની ખરીદી અને વેચાણ માટે છે. EDની ચાર્જશીટ કાલ્પનિક છે.

શું છે મામલો?

EDની ચાર્જશીટને ટાંકીને, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીની દારૂ નીતિ કૌભાંડના નાણાંનો ઉપયોગ ગોવામાં AAP દ્વારા ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવ્યો છે. તેના પર સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે EDના તમામ કેસ નકલી છે. ED ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે નહીં પરંતુ સરકારને તોડવા માટે કામ કરે છે.

શું કહ્યું ચાર્જશીટમાં?

EDએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે AAP કાર્યકર્તાઓને આશરે 70 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જેઓ ગોવા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની સર્વે ટીમનો ભાગ હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે AAPની કોમ્યુનિકેશન ટીમના પ્રભારી વિજય નાયરેએ તેમને જણાવ્યું હતું કે પૈસા લેવામાં ઘણા લોકો સામેલ હતા. જણાવી દઈએ કે વર્ષ 2022માં ગોવામાં થયેલી ચૂંટણીમાં AAP પાર્ટીએ બે સીટો જીતી હતી.

કોર્ટે સમન્સ જારી કર્યા

EDની પૂરક ચાર્જશીટની નોંધ લેતા, રાઉઝ એવન્યુ કોર્ટે તમામ આરોપીઓને સમન્સ જારી કર્યા છે. કોર્ટ આગામી સુનાવણી 23 ફેબ્રુઆરીએ કરશે. ચાર્જશીટમાં વિજય નાયર, સરથ રેડ્ડી, બિનય બાબુ, અભિષેક બોઈનાપલ્લી અને અમિત અરોરાના નામ છે, પરંતુ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નામ નથી.

Back to top button