ટોપ ન્યૂઝનેશનલ

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

Text To Speech

મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : રાજ્યના DGP આશિષ ભાટિયા આજે થશે નિવૃત્ત, આ નામો અંગે ચર્ચા

મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અને બસ વચ્ચેની જોરદાર ટક્કરમાં ચાર લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં છે. પાલઘર પોલીસના જણાવ્યા અનુસાર કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે, કાર બેકાબૂ થતા આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની માહિતી મળતા જ પાલઘર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલ કોલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. તેમજ કારને બસ નીચેથી બહાર કાઢી હતી. મૃતકોના મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું પણ હજી માવઠાની અસર, જાણો શું છે સ્થિતિ

ગત 8 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. પાલઘર જિલ્લાના કાસા પોલીસ સ્ટેશન હેઠળ વેગેનાર કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક સગીર બાળકી સહિત 3 લોકોના મોત થયા હતા. બીજી તરફ 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Back to top button