ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: બેંકિંગ ટ્રાન્ઝેક્શન બાદ ગ્રાહકોને નથી મળતા SMS, ડિજિટલ તસ્કરો સક્રિય થયા

બેંકિંગ ટ્રાન્ઝેક્શન કર્યા બાદ ગ્રાહકોને SMS મોકલવામાં બેંકોની લાલિયાવાડી સામે આવી છે. જેમાં ગઠિયો ગ્રાહક સાથે છેતરપિંડી કરે, પૈસા ચોરી લે, ઠગાઈ કરે તેના મેસેજ મળે પણ કાયદેસર ટ્રાન્ઝેક્શનના મેસેજ મળતો નથી. તેમજ સમયથી બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરતી વખતે ગ્રાહકોને મળતા SMS બંધ થઈ ગયા છે. તેથી ગ્રાહકો ઠગાઇનો ભોગ બન્યા છે. છેલ્લા ઘણા સમયથી બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરતી વખતે ગ્રાહકોને મળતા SMS બંધ થઈ ગયા છે. સરકારી, ખાનગી, સહકારી બેંકોની સર્વિસમાં ધાંધિયા ઉભા થયા છે. બેંકો ગ્રાહકો પાસેથી SMSનો વાર્ષિક ચાર્જ વસૂલી લે છે પરંતુ ગ્રાહકોને તેમના ખાતામાં ટ્રાન્ઝેક્શન થયા તેની કોઈ જાણ થતી નથી.

આ પણ વાંચો: આસારામ સામે દુષ્કર્મ કેસમાં આખરે ચુકાદો આવી ગયો, જાણો કેટલા વર્ષની પડશે સજા

ગ્રાહકોની ફરિયાદ છે કે ઘણા સમયથી તેમને SMS એલર્ટ મળતા નથી

ગ્રાહકો પાસેથી SMS ચાર્જ વસૂલીને વેપલો કરતી બેંકો સામે કોઈ ચૂં કે ચા કરી શકતું નથી. ઉલ્ટાનું જ્યારે કોઈ ગ્રાહક સાથે છેતરપિંડી થાય તો તેના SMS તુર્ત આવી જાય છે અને બાપડો ગ્રાહકો ઘાંઘો બનીને પૈસા પાછા મેળવવા દોડધામ કરી મુકે છે. એટીએમમાંથી પૈસા ઉપાડતા કે જમા કરતા, એપ્લીકેશન મારફત પૈસાની લેવડ-દેવડ કરતા હોય તેવા ગ્રાહકોની ફરિયાદ છે કે ઘણા સમયથી તેમને SMS એલર્ટ મળતા નથી. આ અંગે બેંકને જાણ કરવા છતાં પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. SMS આવવાથી ગ્રાહકોને રિયલ ટાઈમ જાણકારી મળે છે કે તેમના ખાતામાંથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું છે.

ગ્રાહકોએ એપ્લીકેશનમાં લોગઈન થઈને ચેક કરવું પડે

ગ્રાહક જ્યારે પોતે જ ટ્રાન્ઝેક્શન કરે ત્યારે તેને ખબર હોય છે કે આ ટ્રાન્ઝેક્શન મારું છે. પરંતુ SMS નહીં આવવાના કારણે તેને જાણ થતી નથી. કોઈ વખત મેસેજ મળે છે પરંતુ મોટાભાગના ટ્રાન્ઝેકશન વખતે મેસેજ મળતો નથી. ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓને પગાર થયો તેની જાણ થતી નથી કેમકે તેમને SMS જ મળતા નથી. પછી આવા ગ્રાહકોએ એપ્લીકેશનમાં લોગઈન થઈને ચેક કરવું પડે છે કે પગાર થયો કે નહીં. ખાનગી, સરકારી, સહકારી એમ દરેક બેંક SMS ચાર્જ પેટે ગ્રાહક પાસેથી વર્ષની સામટી ફી વસૂલ કરી લે છે. પરંતુ બાદમાં SMS મોકલતી નથી.

રૂપિયાની ઉઠાંતરી કરી લે ત્યારે ગ્રાહકને તુર્ત જ મેસેજ મળી જાય

ગ્રાહક ફરિયાદ કરે ત્યારે મોબાઈલ કંપની પર દોષનો ટોપલો ઢોળી દે છે. ગ્રાહક જ્યારે મોબાઈલ કંપનીને ફરિયાદ કરે ત્યારે મોબાઈલ કંપની બેંક પર ઢોળી દે છે કે આ જવાબદારી અમારી નહીં પરંતુ બેંકની છે. બેંક અને મોબાઈલ કંપની વચ્ચે જવાબદારીની ફેંકાફેંકીમાં પિસાવાનું ગ્રાહકના ભાગે આવે છે. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે ગ્રાહક સાથે છેતરપિંડી થાય, કોઈ ગઠિયો તેના ખાતામાંથી રૂપિયાની ઉઠાંતરી કરી લે ત્યારે ગ્રાહકને તુર્ત જ મેસેજ મળી જાય છે.

Back to top button