ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતની ત્રણ મોટી હોસ્પિટલોને PMJAY –MA યોજના અંતર્ગત નાણાકીય ગેરરીતિ માટે સસ્પેન્ડ થઈ

સરકારની આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર કોઈ પણ સરકારી તેમજ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં લાભ મેળવી શકે છે. રાજ્ય સરકારે ઓછી આવક ધરાવતા લોકોને આ યોજના અંતર્ગત મફતમાં આરોગ્ય સુવિધા ઉપલ્ધ કરાવે છે. પરંતુ કેટલીક હોસ્પિટલોમા આ યોજના અંતર્ગત ગેરરીતિ કરીને દર્દીઓ પાસેથી પૈસા ખંખેરી લેતી હોય છે. ત્યારે આવી જ ત્રણ હોસ્પિટલો સુરતમાંથી ઝડપાઈ છે. જે ખોટી રીતે દર્દીઓ પાસેથી પૈસા પડાવી લેતી હતી.

સુરતની ત્રણ મોટી હોસ્પિટલોમાં ગેરરીતિ

સુરત શહેરમાં PMJAY –MA યોજના અંતર્ગત ગેરરીતિ કરનાર હોસ્પિટલ પર કાર્યવાહી કરવામાં આવી છે. નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સરકારની ફ્લેગશિપ સ્કીમ હોઈ યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ પરંતુ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે. આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. તેમ છતા દર્દીઓ પાસે ખુલ્લેઆમ પૈસા ઉઘરાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

સુરત હોસ્પિટલ-humdekhengenews

હોસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી

09.01.2023ના રોજ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ OICLની ટીમ દ્વારા સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાઈ આવી હતી. જેથી આ હોસ્પિટલોને કારણદર્શક નોટીસ આપી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી છે.

SAFU અને OICLની ટીમ દ્વારા 

સુરતની વિવિધ હોસ્પિટલોમાં SAFU અને OICLની ટીમ દ્વારા મુલાકાત લેતા નિલકંઠ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ ધરાવતાં અકસ્માત અને ફ્રેકચર થયેલ દર્દીઓને યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા પૈસા ભરી સારવાર કરાવવાની ફરજ પાડવામાં આવી હતી . જ્યારે ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલમાં દર્દીઓ માટેની અલાયદી લિફ્ટનો અભાવ હોવાથી કોમ્પ્લેક્સની કોમન લિફ્ટ વપરાતી હતી. તેમજ નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ યોજનાના ધારા-ધોરણ મુજબ ન હતો તથા SAFU (સ્ટેટ એ‍ન્ટી ફ્રોડ યુનીટ) અને OICL (ઓરીએ‍ન્ટલ ઇ‍ન્સયોર‍‍ન્સ કંપની લીમીટેડ)ની વિજિલન્સ ટીમની રૂબરૂમાં હોસ્પિટલ દ્વારા યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા આપી સારવાર કરાવવાની ફરજ પાડી હતી.પરમ હોસ્પિટલમાં દર્દીઓ પાસે ઘૂંટણના રિપ્લેસમેન્ટની રિવિઝન સારવાર માટે પણ યોજનામાં અંતર્ગત મફત સારવાર મળવાપાત્ર હોવા છતાં રોકડા નાણાં લેવામાં આવી રહ્યા હતા. તથા આયુષ્માન મિત્રને માત્ર ઘૂંટણના રિપ્લેસમેન્ટ અને થાપાના રિપ્લેસમેન્ટ વિષે જ માહિતી હતી અને અન્ય તમામ ઓર્થોપેડિક (હાડકાંને લગતી) સારવાર વિષે કોઈપણ જાણકારી જ ન હતી.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીએ તેની ફીમાં કર્યો તોતિંગ વધારો, જાણીને ચોંકી જશો

Back to top button