ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

હિન્દુ તહેવાર ‘મકરસંક્રાંતિ’ કેમ અંગ્રેજી કેલેન્ડર અનુસાર ઉજવવામાં આવે છે ? શું તમે જાણો છો

મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે આખા ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં જુદાજુદા નામથી અને અનેક રીતે ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને મકરસંક્રાંતિ કહે છે, તમિલનાડુમાં પોંગલ અને ગુજરાતમાં તે ઉત્તરાયણના નામે ઓળખાય છે. જ્યારે આસામને તેને માઘી બિહુ કહે છે, કર્ણાટકમાં સુગ્ગી હબ્બા, કેરળમાં મકરવિક્લુ અને જમ્મુ-કાશ્મીરમાં મકરસંક્રાંતિને શિશુર સેંક્રાંતના નામે જાણીતો છે.

મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનો ધનરાશિથી મકરરાશિમાં પ્રવેશનો સંક્રમણકાળ. આમ તો ભારતમાં તમામ હિન્દુ તહેવારો ચંદ્રની કળા પર આધારિત હોય છે, એટલા માટે હિન્દુ તહેવારોની અંગ્રેજી તારીખ બદલાતી રહે છે. હાલના સમયમાં જે કેલેન્ડરનો ઉપયોગ થાય છે તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય છે, જે સોલર કેલેન્ડર છે, એટલે કે સૂર્ય પર આધારિત કેલેન્ડર છે. પરંતુ મકરસંક્રાંતિ એજ તહેવાર છે જે તારીખ અનુસાર ઉજવવામાં આવે છે.

ઉત્તરાયણ-humdekhengenews

આ પણ વાંચો : મકરસંક્રાંતિનો શ્રીકૃષ્ણએ ગીતામાં પણ કર્યો છે ઉલ્લેખઃ કેમ છે મહત્ત્વનો તહેવાર?

ઉત્તરાયણ માટેની તારીખ 14-15 જાન્યુઆરી જ શા માટે?

મકરસંક્રાંતિના રોજ પૃથ્વી અને સૂર્યની સ્થિતિની સરખામણીના આધારે ઊજવવામાં આવે છે. જેના માટે કોઈ પણ તિથિ કે ચંદ્રની કળા જોવામાં આવતી નથી. જેથી ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની સ્થિતિમાં નિશ્ચિત સ્વરૂપે થોડા ફેરફાર ક્યારેક 14 જાન્યુઆરી હોય છે, તો ક્યારેક 15 જાન્યુઆરીના હોય છે. પણ સૂર્યની મુખ્ય ભૂમિકા હોવાને લીધે અંગ્રેજી તારીખ બદલાતી નથી. આ માટે જ ઉત્તરાણ એક જ એવો તહેવાર છે જે હિન્દુ તિથિ અનુસાર નહીં પણ તારીખ અનુસાર ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો : માત્ર લોહરી અને મકરસંક્રાંતિ જ નહીં, જાન્યુઆરીમાં ઉજવવામાં આવે છે આ 8 તહેવારો

એવું પણ માનવામાં આવે છેકે મકરસંક્રાંતિથી બાદ દિવસો લાંબા થતા જાય છે અને રાતો ટૂંકી. આ વાત ટેકનિકલી સાચી છે, કેમ કે ઉત્તર ગોળાર્ધમાં 14-15 જાન્યુઆરી બાદ સૂર્યાસ્તનો સમય ધીમેધીમે આગળ વધતો જાય છે. પછી આવે છે 20 માર્ચની તારીખ. તેને ઇક્વિનૉક્સ કહેવાય છે, ત્યારે દિવસ અને રાત બંને સરખા હોય છે. એનો મતલબ કે સૂર્ય ઉત્તરી ગોળાર્ધમાં લગભગ વચોવચ છે.

સૂર્યાસ્તનો સમય ધીમેધીમે આગળ વધવાનો મતલબ છે કે ઠંડી ઓછી થશે અને ગરમી વધશે, કેમ કે સૂર્ય ઉત્તરી ગોળાર્ધની સીધમાં વધુ સમય સુધી રહેશે. મકરસંક્રાંતિને ઉત્તરાયણ એટલા માટે કહેવાય છે કે સૂરજ દક્ષિણી ગોળાર્ધથી ઉત્તર ગોળાર્ધ તરફ આવવા લાગે છે. આ પ્રક્રિયા સમર સોલિસ્ટિસના દિવસે પૂરી થાય છે, જે દિવસે સૌથી લાંબો દિવસ હોય છે, તારીખ હોય છે 21 જૂન જેના માટે જ આ દિવસે યોગ દિવસની ઉજવણી માટે પસંદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જો જો મકરસંક્રાંતિએ ન થાય આ ભુલોઃ ખાસ વાતની રાખજો કાળજી

Back to top button