ગુજરાતટોપ ન્યૂઝ

માંડણ ગામ નજીક નર્મદા નદીમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Text To Speech

નર્મદાના માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારનાના પાંચ લોકો ડૂબતા ખળભળાટ મચી ગયો છે. જેમાં અત્યાર સુધી 4 લોકોના મૃતદેહો મળ્યા છે જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.

રવિવારની રજા હોઈ મોટી સંખ્યામાં લોકો માંડણ પાસેની નર્મદા નદી પાસે ફરવા આવ્યા હતા. જેમાં ભરૂચના જિલ્લાના જોલવા ગામે રહેતો પરમાર પરિવાર પણ માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા આવ્યો હતો. અસહ્ય ગરમીને કારણે અનેક લોકો નદીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે એક પછી એક પરિવારના પાંચ સભ્યો નદીમાં ડૂબ્યા હતા.

નદી કિનારે ચંપલ અને બાઈક પરથી ડૂબ્યા હોવાનું અનુમાન લગાવ્યું
સ્થાનિકોએ નદી કિનારે 2 બાઈક અને ચંપલ પડેલા હોવાનું જોયું, જે બાદ કેટલાક લોકો ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવ્યુ હતું. જે બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયુ હતું. જેમાં જાણવા મળ્યુ કે, પરિવારના જનકસિહ બલવંતસિહ પરમાર (ઉ.વ 35), જીજ્ઞાશાબેન જનકસિંહ પરમાર (ઉ.વ 32), પૂર્વરાજ જનકસિહ પરમાર (ઉ.વ 8), વિરપાલસિહ પરબત સિહ ચૌહાણ (ઉ.વ 27) અને ખુશી વિરપાલસિહ ચૌહાણ (ઉ.વ 24) પાણીમાં ડૂબી ગયા હતા.

4 મૃતદેહ મળ્યા,1ની શોધખોળ શરૂ
ગત મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો, જે બાદ આજે વહેલી સવારે અન્ય 3 મૃતદેહો મળ્યા હતા. પરિવારના 1 સભ્યની શોધખોળ હજી પણ ચાલુ છે. નર્મદા પોલીસ અને NDRFની ટીમોએ સવારથી જ રેસક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતું.

Back to top button