ટ્રેન્ડિંગયુટિલીટી

9 જાન્યુઆરી : આજે પ્રવાસી ભારતીય દિવસ, જાણો કેમ ઉજવાય છે આ દિવસ ?

આંકડાકીય માહિતી અનુસાર 110 દેશોમાં લગભગ અઢી કરોડ પ્રવાસી ભારતીય જીવન ગુજારી રહ્યા છે. પ્રવાસી ભારતીય દિવસ (Non-Resident Indian Day) પ્રથમવાર વર્ષ 2003માં મનાવવામાં આવ્યો હતો. 2003માં પૂર્વ પ્રધાનમંત્રીએ વિશ્વ પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 9 જાન્યુઆરીએ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

કેમ ઉજવાય છે વિશ્વ પ્રવાસી ભારતીય દિવસ?

9 જાન્યુઆરી 1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા.ગાંધીજીને સૌથી મહાન પ્રવાસી માનવામાં આવે છે. આ કારણે જ ભારત સરકાર દર વર્ષે 9 જાન્યુઆરીએ વિશ્વ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરે છે. પ્રવાસી દિવસ મનાવવા પાછળનો મુખ્ય હેતુ ભારતના વિકાસમાં વિશ્વના અન્ય દેશોમાં રહેતાં ભારતીયોના યોગદાનની ઓળખ અપાવવાનો છે.

મહાત્મા ગાંધી - Humdekhengenews

વર્ષ 2003થી દર વર્ષે રાષ્ટ્રના વિકાસમાં પ્રવાસી ભારતીયોના ફાળાને બિરદાવવાના હેતુસર આ દિવસની ઉજવણી શરુ કરવામાં આવી છે. પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજાતી હતી. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન શરુ કરવામાં આવ્યુ છે.આ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન ઍવૉર્ડ આપે છે.

આ પણ વાંચો : ફ્લાવર શોમાં અમદાવાદીઓએ દિલ ખોલીને લીધી મુલાકાત, 5 લાખથી વધુ લોકો પહોંચ્યા

પ્રવાસી ભારતીયોનું મોટું યોગદાન

પ્રવાસીઓનું દેશની પ્રગતિમાં મોટુ યોગદાન માનવામાં આવે છે. પોતાના દેશમાં વિદેશી રકમ મોકલવાના કેસમાં ભારતીય પ્રવાસી સૌથી આગળ રહ્યા છે. સૌથી વધારે પ્રવાસી ભારતીય ગલ્ફ દેશોમાં રહે છે. ગલ્ફ દેશોમાં લગભગ 30 લાખ પ્રવાસી ભારતીય રહે છે. બ્રિટેનમાં લગભગ 10 લાખ પ્રવાસી ભારતીય છે. કેનેડામાં લગભગ દોઢ લાખ પ્રવાસી ભારતીય રહે છે. એક અંદાજ અનુસાર ગલ્ફ દેશમાં રહેતાં 70 ટકા પ્રવાસી ભારતીય એટલે કે લગભગ 21 લાખ લોકો ગલ્ફ દેશોમાં મહેનત અને મજૂરી કરીને પોતાનું જીવન ચલાવી રહ્યા છે.

પ્રવાસી ભારતીય દિવસ - Humdekhengenews

ગલ્ફ દેશોમાં લગભગ 30 લાખ પ્રવાસી ભારતીય

બ્રિટેનમાં લગભગ 10 લાખ પ્રવાસી ભારતીય છે. કેનેડામાં લગભગ દોઢ લાખ પ્રવાસી ભારતીય રહે છે. એક અંદાજ અનુસાર ગલ્ફ દેશમાં રહેતાં 70 ટકા પ્રવાસી ભારતીય એટલે કે લગભગ 21 લાખ લોકો ગલ્ફ દેશોમાં મહેનત અને મજૂરી કરીને પોતાનું જીવન ચલાવી રહ્યા છે.ગુજરાત સરકાર દ્વારા પણ વતન પ્રેમ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં મૂળ ગુજરાતના વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો પોતાના વતનના વિકાસ માટે પરદેશ રહીને પણ પોતાનો ફાળો આપી શકે છે. જેમાં સરકાર દ્વારા પણ તેમને પ્રોત્સાહન અને ફાળો આપવામાં આવે છે.

Back to top button