ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં 33 અધિકારીઓની બદલી

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી લાંબા સમય બાદ આજે ફરી એકવાર બદલીના હુકમ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. જેમાં સામાન્ય વહીવટ વિભાગના 33 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં આગામી વર્ષ 2023 – 24ના સામાન્ય બજેટની તૈયારીને અનુલક્ષીને વર્ગ – 2ના 10 તેમજ વર્ગ – 3ના 12 અધિકારીઓની બદલીના હુકમ કરી નાણા વિભાગને ફાળવવામાં આવ્યા છે.

આ ઉપરાંત હાલમાં નાયબ સેક્સન અધિકારી તરીકે ફરજ બજાવતા 3 અધિકારીઓની અન્ય વિભાગમાં બદલી તેમજ 2022 વિધાનસભા ચૂંટણી સંદર્ભની કામગીરી માટે મુકવામાં આવેલ ચાર અધિકારીઓને પણ પરત તેમના વિભાગમાં બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

વધુમાં આજે રાજ્ય સરકારે સેક્શન અધિકારીઓ સિવાય નાયબ સેક્શન અધિકારીઓની પણ બદલીનો ઘાણવો કાઢ્યો છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે જે અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરી માટે મુકવામાં આવ્યા હતા તેઓની ફરીથી બદલી કરવામાં આવી છે.

Back to top button