ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

પ.બંગાળમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BF.7ના નવા 4 કેસ નોંધાયા, જાણો ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા

મળતી માહિતી મુજબ ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્રએ જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં ભારતમાં BF.7નો પ્રથમ કેસ સામે આવ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણ અને ઓડિશામાં એક કેસ સામે આવ્યો હતો, જોકે હવે બંગાળમાં પણ આ વેરિઅન્ટના કેસો સામે આવ્યા છે.

આ પણ વાંચો : દેશમાં ઠંડીનો પ્રકોપ યથાવત, જીવલેણ ઠંડીથી ત્રણના મોત

ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BF.7ના કેસો હવે ભારતમાં

ચીન સહિત વિશ્વભરના ઘણા દેશોમાં કોરોના જોવા મળેલા ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BF.7ના કેસો હવે ભારતમાં પણ વધી રહ્યા છે. ગુજરાત અને ઓડિશા બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ BF.7ના કેસો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ વેરિઅન્ટથી 4 લોકો સંક્રમિત થવાની ઘટના સામે આવી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ અમેરિકાથી પરત આવેલા ચાર લોકોની જિનોમ સિક્વેન્સિંગ કરાતા તેઓ કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમિત થયા હોવાની પુષ્ટી થઈ છે. જોતે તમામની સ્થિતિ સ્થિર છે.

કોરોના અપડેટ - Humdekhengenews

4માંથી 3 સંક્રમિત દર્દીઓ એક જ પરિવારના

અધિકારીએ જણાવ્યું કે, ચાર લોકોમાંથી ત્રણ નદિયા જિલ્લાના એક જ પરિવારના સભ્યો છે. જ્યારે એક બિહારના રહેવાસી છે. જે હાલ કોલકતામાં રહે છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ આ ચાર દર્દીઓના સંપર્કમાં 33 વ્યક્તિઓ આવ્યા છે. આરોગ્ય વિભાગે તુરંત આ 33 લોકોને ઓળખી આરોગ્ય તપાસ કરતા તમામે તમામ સ્વસ્થ હોવાનું જણાયું છે, જોકે આ તમામ પર નજર રખાઈ રહી છે.

ત્યારે વાત કરીએ માત્ર ગુજરાત રાજ્યની ગઈકાલે વડોદરા કોર્પોરેશન, કચ્છ અને સુરત કોર્પોરેશનમાંથી 1-1, અમદાવાદમાંથી 2 મળી કુલ 5 કોરોના સંક્રમિતો સાજા થયા છે.

કોરોના અપડેટ - Humdekhengenews

તેમજ ગુજરાતમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. વડોદરામાં 2 કેસ અને અમદાવાદમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશન, કચ્છ અને સુરત કોર્પોરેશનમાંથી 1-1, અમદાવાદમાંથી 2 મળી કુલ 5 કોરોના સંક્રમિતો સાજા થયા. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 37 છે. અત્યાર સુધીમાં 1266509 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11043 લોકોના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો : ‘તેરે લિયે દુઆ કરું યા…’, તુનિષાના જન્મદિવસ પર શીઝાનની બહેનની ભાવનાત્મક પોસ્ટ

ગુજરાત-ઓડિશા બાદ પશ્ચિમ બંગાળમાં BF.7ના કેસો આવ્યા સામે

મળતી માહિતી મુજબ ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્રએ જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં ભારતમાં BF.7નો પ્રથમ કેસ સામે આવ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણ અને ઓડિશામાં એક કેસ સામે આવ્યો હતો, જોકે હવે બંગાળમાં પણ આ વેરિઅન્ટના કેસો સામે આવ્યા છે.

કોરોના અપડેટ - Humdekhengenews

કોરોનાના વધતા જોખમ વચ્ચે વધાર્યું ટેસ્ટીંગ, જાણો દેશમાં કેટલા આવ્યા નવા કેસો

ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન સહિત ઘણા દેશોમાં કોરોનાનો પ્રકોપ ચાલુ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે થયેલા મોતથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત સર્તક થઈ ગયું છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયથી મળેલ ડેટા અનુસાર, કોવિડ-19ના 175 નવા કેસ નોંધાયા છે જ્યારે દેશમાં સક્રિય કેસની સંખ્યા 2,570 છે.

કોરોના અપડેટ - Humdekhengenews

દેશભરમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ લગભગ 220.11 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 95.13 કરોડ સેકન્ડ ડોઝ અને 22.41 કરોડ બૂસ્ટર ડોઝ સામેલ છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 48,292 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતનમાં હાલના સક્રિય કેસોનો આંકડો 2,570 છે.

આ પણ વાંચો : વર્ષ 2023 માં શનિવારે મનાવામાં આવતી મકરસંક્રાંતિ પર શનિના દોષોથી આ રીતે મેળવો મુક્તિ

છેલ્લા 24 કલાકમાં 2,01,690 ટેસ્ટ કરવામાં આવ્યા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 187 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે, જેના કારણે કુલ રિકવરીનો આંકડો વધીને 4,41,45,854 થઈ ગયો છે અને એક્ટિવ કેસ 0.01% છે. આ સાથે, રિકવરી રેટ હાલમાં 98.8% છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દૈનિક સંક્રમણ દર 0.09% નોંધવામાં આવ્યો હતો જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 0.12% છે. માહિતી મુજબ, દેશમાં કુલ 91.13 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 2,01,690 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

Back to top button