ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તીર્થસ્થાનોના વિકાસ માટે લીધો મોટો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 પવિત્ર યાત્રાધામ, 28 અન્ય મહત્વના યાત્રાધામો અને 358 જેટલા સરકાર હસ્તકના દેવસ્થાનકોના વિવિધ વિકાસ કામોની પ્રગતિ તથા ભાવિ આયોજન અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

AMBAJI- HUM DEKHENEG
 

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાના નાગરિકોને કોરોના વેક્સિન પ્રત્યેની બેદરકારી ભારે ના પડે સારું

26 કામો રૂ.152.55 કરોડના ખર્ચે પ્રગતિમાં

પ્રવાસન-યાત્રાધામ સિચવ હારિત શુકલા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાવલે વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા મુખ્યમંત્રીને યાત્રાધામ વિકાસ બોર્ડની ગતિવિધિઓથી અવગત કર્યા હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન આ બેઠકમાં સહભાગી થયા હતાં. રાજ્યના 64 યાત્રાધામોમાં રૂ. 334 કરોડના વિકાસ પ્રોજેક્ટસ મંજૂર કરવામાં આવેલા છે તે પૈકી 26 કામો રૂ.152.55 કરોડના ખર્ચે પ્રગતિમાં છે. તેમજ 38 કામો માટે મળેલી મંજૂરી અન્વયે રૂ.177.80 કરોડના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે.

pavagadh

આ પણ વાંચો: ગુજરાત: કોર્પોરેશનની આ બિલ્ડિંગમાં 3 તકતીઓ લાગી, કારણ છે રસપ્રદ

યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠના સ્થાનકોના ગબ્બર ફરતે મંદિરો નિર્માણ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ સમીક્ષા બેઠકમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યના 8 પવિત્ર યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી, માતાનો મઢ, માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થ સ્થાનોનો સર્વગ્રાહી વિકાસ માસ્ટર પ્લાનીંગ હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહિ, માતૃતર્પણ તીર્થ ક્ષેત્ર સિદ્ધપૂર તથા અનુસૂચિત જાતિ-જનજાતિના પવિત્ર આસ્થા-શ્રદ્ધા સ્થાનકોના પણ સર્વાંગી વિકાસ માટે નાણાં વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના અનુસાર પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠના સ્થાનકોના ગબ્બર ફરતે મંદિરો નિર્માણ થયા છે. આ 51 શક્તિપીઠનો ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ પણ આગામી દિવસોમાં યોજાશે.

આ પણ વાંચો:G-20 બેઠકની તૈયારીઓની સમીક્ષા માટે પ્રફુલ્લ પટેલ દીવ પહોંચ્યા

કંથારપૂર ઐતિહાસિક વડના પ્રથમ તબક્કાના રૂ.6 કરોડના વિકાસ કામો થશે

આ સાથે કંથારપૂર ઐતિહાસિક વડના પ્રથમ તબક્કાના રૂ.6 કરોડના વિકાસ કામો, માધવપૂરમાં રૂ.48 કરોડના વિકાસ કામો, માતાના મઢ ખાતે રૂ.32 કરોડના વિકાસ કામોના કાર્ય આયોજનની પણ વિસ્તૃત રૂપરેખા આ બેઠકમાં આપવામાં આવી હતી. યાત્રાધામોની સૌર ઊર્જાથી પ્રકાશિત કરીને વીજ ખર્ચ બચત માટેની જે પહેલ ગુજરાતમાં કરવામાં આવેલી છે. તેમાં349 ધાર્મિક સ્થાનોમાં આવી સિસ્ટમ કાર્યરત છે. આના પરિણામે વાર્ષિક ૩ કરોડ રૂપિયા જેટલી વીજ ખર્ચની બચત થાય છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

Back to top button