ગુજરાતટોપ ન્યૂઝ

અન્નપૂર્ણા યોજનાને લઇ ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય, આ બે શહેરોને મળશે લાભ

આજથી ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખોલવામા આવશે. જેમાં માત્ર 5 રૂપિયામાં ભોજન આપવામાં આવશે.

આજથી રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખોલાશે

અગાઉ ઓક્ટોબર મહિનામાં 22 કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા. તેમજ આ યોજના હેઠળ 5 રૂપિયામાં શ્રમિકોને ભોજન આપવામાં આવે છે. આજથી રાજ્યના બે શહેરોમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખોલવામા આવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં અન્નપૂર્ણા યોજનાના 29 કેન્દ્રો ખોલાશે. અગાઉ ઓક્ટોબરમાં મહિનામાં 22 કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા. આ યોજના દ્વારા શ્રમિકો અને તેમના પરિવારોને નજીવા દરે ભોજન મળશે. તમને જણાવી દઇએ કે આ યોજના હેઠળ 5 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં પણ વધુ 60 કેન્દ્રો ખોલવા માટે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે.

આ પણ વાંચો : Twitter ડાઉન, યુઝર્સને લોગ ઈન કરવામાં મુશ્કેલી

ઉલ્લેખનીય છે કે, મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગતરોજ યોજાયેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને આવતીકાલ તા. 29.12.2022 એટલે કે આજથી વધુ નવા 29 જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - Humdekhengenews

51 કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ

આજથી રાજ્યના કુલ 51 કડિયાનાકા કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ થશે. CMના સક્ષમ નેતૃત્વ અને શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતના બાંધકામ શ્રમિકો માટે પોષણયુક્ત આહાર મળી રહે આ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલી. આ યોજના હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર 5 રૂ.ના નજીવા દરે સાત્વિક અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે.

આ પણ વાંચો : યુવાનો માટે ખુશખબર : સરકારી નોકરીને લઈને સરકારે કરી મોટી જાહેરાત

ઉપરાંત આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ- વોકેસનલ વિદ્યાર્થીઓ કે જેઓ 6 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા હોય, તેઓ માટે 10- બેગલેસ ડે ની યોજના કરવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓ શિક્ષણ આપવાનો છે. જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે. જેના દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાન,સમજણને કૌશલ્ય સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક ઉદ્યોગો, કળા, સંસ્કૃતિ જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત સ્થાનિક ઔધોગિક સંસ્થાઓના અનુભવો દ્વારા કૌશલ્યવર્ધન અને ભાવી કારકિર્દી વધુ ઉજ્જવળ બનાવામા મદદ કરશે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને પણ જાણી શકાશે. જો કે વિદ્યાર્થીને કોઈ ગ્રેડ કે ગુણ આપવામાં આવશે નહીં. શિક્ષક આનો આંતરિક અથવા ગોપનીય મૂલ્યાંકન કરી શકે અને તેનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે.

મંત્રી ઋષિકેશ પટેલ - Humdekhengenews

શિક્ષકો અને બાળકો સરેરાશ રોજ છ કલાક શાળામાં વિતાવે છે, જેને જોતા વર્ષ દરમિયાન આ કાર્યક્રમની પ્રવૃતિઓ માટે શાળાના સમયના 10 દિવસ અથવા તો 60 કલાક ફાળવવામાં આવશે. જેમાં સત્રના પ્રથમ ભાગમાં ૫ દિવસ અને સત્રના બીજા ભાગમાં ૫ દિવસ આમ 10 દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામા આવશે. પ્રારંભિક તબક્કે જાન્યુઆરી – 2023ના પ્રથમ સપ્તાહમાં અજમાયશી ધોરણે રાજ્યની 491 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 10-બેંગલેસ ડેના શરૂઆત કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં જાન્યુઆરી, 2023 અંત સુધીમાં 1009 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પણ 10-બેગલેસનું અમલીકરણ કરવામાં આવશે. જેના માટે શાળા દીઠ – રૂ. 15,000 એમ કુલ રૂ. બે કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.

Back to top button