ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં કોરોના સામે સજ્જતા માટે યોજાઈ મોકડ્રીલ

  • પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કોરોના અંગે બેઠક મળી
  • આરોગ્ય તંત્રની તૈયારીઓની સમીક્ષા કરાઈ

પાલનપુર : કોરોના ઇમરજન્સી સેવા સંબંધી તૈયારીઓનો અંદાજ મેળવવા બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવાઓ આપી રહેલ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના 121-પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 26–સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 4–સબડીસ્ટ્રીકટ હોસ્પિટલ,1–મેડીકલ કોલેજ મળી કુલ-156 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ઉપલબ્ધ ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીનેટર, ઓક્સિજન કોન્સન્ટેટર, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન સીલીન્ડર, લોજેસ્ટીક દવાઓ, પી.પી.ઈ.કીટ અને માનવ સંશાધનને તાલીમ બાબતે મોકડ્રીલ યોજી સજજ કરવામાં આવ્યા હતા.

મોકડ્રીલ-humdekhengenews

બનાસકાંઠા જિલ્લામાં વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહેલી રાજ્યવ્યાપી મોકડ્રીલના ભાગરૂપે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે પ્રાંત અધિકારી સુશીલ પરમારના અધ્યક્ષતામાં કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાના નવા વેરીયન્ટ સામે રક્ષણ મેળવવા અંગેની જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં PSA પ્લાન્ટ, કોરોના વોર્ડ, લેબોરેટરી, જરૂરી દવાઓ, RTPCR ટેસ્ટની સંખ્યા, તબીબી સ્ટાફ તથા પેરામેડીકલ સ્ટાફની જરૂરીયાત, સિવિલ હોસ્પિટલમાં ફિઝીશિયનની જરૂરીયાત તથા વેક્સિનેશન અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મોકડ્રીલ-humdekhengenews

પાલનપુર પ્રાંત અધિકારી સુશીલ પરમારે જણાવ્યું હતું કે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે બેડની કેપેસીટી, ઓક્સિજન પ્લાન્ટનું ટેક વર્કિગ કન્ડીશનનું ઓડીટ કરવામાં આવ્યું હતું. કોરોનાની કોઈ પણ પ્રકારની પરીસ્થિતિ ઉભી થાય તો જી.એન.પી.સી. ટ્રસ્ટ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર સજ્જ છે. તેઓએ જણાવ્યું હતું કે તંત્ર તરફથી તમામ તૈયારી થઈ ગઈ છે. જેમાં જનરલ હોસ્પિટલ ખાતે 450 બેડ અને બનાસ મેડીકલ કોલેજ મોરિયા ખાતે 150 બેડ એમ કુલ 600 બેડ ઓક્સિજન લાઈન સાથે તૈયાર છે. 67 વેન્ટીલેટર, 110 જેટલા મોનીટર, ઈ.સી.જી. યુનિટ 13, એકસરે પોટેબલ મશીન 3, ડીફિબ્રીલેટર 5, પી.એસ.એ. પ્લાન્ટ 3, લીક્વીડ ઓક્સિજન ટેંક પણ છે જે 10 ટનની કેપેસિટી ધરાવે છે. જેની સાથે તમામ સાધનો અને મેનપાવર સાથે સુસજ્જ છે. જેની આજે સમીક્ષા કરી હતી.

મોકડ્રીલ-humdekhengenews

આ ઉપરાંત બુસ્ટર ડોઝ બાબતે જણાવ્યું હતું કે જે વ્યક્તિઓએ બે ડોઝ લીધેલ છે તેમનો સંપર્ક સામેથી કરવામાં આવેલ છે. ત્રીજા ડોઝ માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ મોકડ્રિલમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ, સી.ડી.એમ.ઓ ડૉ. દીપક પ્રણામી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલભાઈ જોષી સહીત ડોક્ટર સ્ટાફ હાજર રહ્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુર પારપડા મંદિરમાં રૂ. 60 હજારની ચોરી

Back to top button