ટ્રેન્ડિંગમનોરંજન

તુનિશા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસે શીઝાન ખાનની આ કારણોથી કરી ધકપકડ

Text To Speech

ટીવી ઇન્ડસ્ટ્રીની એક પ્રસિદ્ધ અભિનેત્રી તુનિશા શર્માએ ગઈ કાલે મેકઅપ રૂમમાં જ પંખાથી લટકીને જીવન ટૂંકાવી નાંખ્યું છે. તુનિશા શર્માની આત્મહત્યાએ બધાને ચોંકાવી દીધા છે. આ એક્ટ્રેસની આત્મહત્યાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસે આ આત્મહત્યા મામલે તપાસ હાથ ધરી છે. એક્ટ્રેસની આત્મહત્યા પાછળનું કારણ હજૂ સુધી બહાર આવ્યું નથી પરંતુ પોલીસે માતાની ફરિયાદને પગલે તુનીશાના કો-સ્ટાર શીઝાન ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

તુનિશા શર્મા-humdekhengenews

શીઝાન ખાનની પોલીસે કરી ધરપકડ

તુનિશા શર્માને આત્મહત્યા કરવા માટે પ્રેરવાના આરોપસર શીઝાન ખાનની પોલીસે ધરપકડ કરી છે.” પોલીસે શીજાન પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. શીજાન ખાનની વિરુદ્ધ IPC 306 અંતર્ગત FIR નોંધવામાં આવી છે. જેથી શીજાનને આજે વસઇ કોર્ટમાં હાજર કરવામાં આવશે.

શીઝાન ખાનની કેમ કરાઈ ધરપકડ

તુનિશા શર્મા આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે તેના મિત્ર અને અલી બાબા સીરિયલના કો-સ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી છે. જાણવા મળી રહ્યું છે કે તુનિશા અને શીઝાન રિલેશનશિપમાં હતા. અને તુનિશા અને શીઝાનનું બ્રેકઅપ થઈ ગયુ હતું, જેના કારણે તે પરેશાન હતી. અભિનેત્રી બ્રેકઅપની પીડા સહન નહોતી કરી શકી. એટલે તેણે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તુનિષા શર્મા-humdekhengenews

આજે કરાશે પોસ્ટ મોર્ટમ

અત્રે ઉલ્લેખનીય છે કે, તુનિશા શર્માના મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ તુનિશાના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવશે.

આ પણ વાંચો :ગણતરીના કલાકો પહેલાં જ ઈન્સટાગ્રામ પર મેકઅપ રૂમનો ફોટો પોસ્ટ કરનાર તુનિશા શર્માએ ભર્યું અંતિમ પગલું !

Back to top button