ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પત્રકાર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનો યોજાયો સન્માન સમારોહ

Text To Speech
  • કાર્યક્રમમાં આગેવાનો અને પત્રકારો દ્વારા સિક્કીમમાં શહીદ 16 જવાનો અપાઈ શ્રધાંજલિ
  • મત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે હું પાંચ વર્ષ દોડતો રહીશ : અનિકેત ઠાકર

પાલનપુર: પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે જોડાયેલ અને ફિલ્ડમાં કાર્યરત પત્રકારોનું સંગઠન પત્રકાર વેલ્ફેર ટ્રસ્ટ પાલનપુર દ્વારા પાલનપુર વિધાનસભા મતવિસ્તારના નવ નિયુક્ત ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

પત્રકાર વેલ્ફેર ટ્રસ્ટ-humdekhengenews

પાલનપુરની હોટલ વે વેઇટ ખાતે શુક્રવારની સાંજે યોજાયેલા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના સન્માન સમારોહના પ્રારંભમાં સિક્કિમમાં સર્જાયેલા હોનારતમાં શહીદ થયેલા સોળ જવાનોને શ્રધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં સંગઠનના પ્રમુખ ભાનુભાઈ જોશી દ્વારા મોમેન્ટ આપીને ધારાસભ્ય અનિકેત ઠાકરનું સન્માન કરાયું હતુ. જયારે સંગઠનનાં ઉપપ્રમુખ આશુતોષભાઈ બારોટ એ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાનું અને સરફરાઝ નાગોરીએ જિલ્લા ભાજપ મંત્રી નિલેશભાઈ મોદી, કનૈયાલાલ પરમારે ગાલવના રાજ ચૌધરી નું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સિનિયર પત્રકાર દેવેન્દ્ર મંડોરા,રમણભાઈ બારોટ,પ્રદીપભાઈ મહેતા અને ગુલાબસિંહ ભાટીનું પણ સન્માન કરાયું હતું.

 

 

 

આ પ્રસંગે નવ નિયુક્તિ ધારાસભ્ય અનિકેત ઠાકરે દેશમાં સર્વાંગી વિકાસ પત્રકારોની અહમ ભૂમિકાને બિરાદવવાની સાથે પાલનપુર મતવિસ્તાર લોકોએ તેમના પર મુકેલા ભરોસાને પૂરો કરવા પાંચ વર્ષ દોડતા રહેવાનો ભરોસો આપ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાએ પણ મીડિયા મિત્રોની કામગીરીને બિરદાવી આવા કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો :પાલનપુર : ડીસાના આસેડામાં બેંકનો લાંચિયા મેનેજર રૂ.10 હજાર ની લાંચ લેતા ફસાયો

Back to top button