8th Pay Commission: સરકારી કર્મચારીઓને મોટો ઝટકો, આઠમા પગાર પંચ અંતર્ગત વધેલી સેલરી હાલમાં નહીં મળે
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2025: ભારત સરકાર અને રાજ્ય સરકારના લાખો સરકારી સ્ટાફ માટે મોટા સમાચાર છે. તેમની સેલરીમાં મોટો ઉછાળો આવવાની સંભાવના હાલમાં ખતમ થઈ ગઈ છે. કમસે કમ એક વર્ષ તેમને આઠમું પગાર પંચની ભલામણો અંતર્ગત વધેલો પગાર નહીં મળે. કારણ કે ભારત સરકારે તેના માટે સંસદમાં રજૂ થયેલા નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં આઠમા પગાર પંચના આધાર પર વધતી સેલી માટે કોઈ પૈસા આપ્યા નથી.
હકીકતમાં જોઈએ તો, આઠમા પગાર પંચ માટે હાલમાં ટર્મ ઓફ રિફરન્સ જ માગવામાં આવી રહ્યું છે. આવી જ રીતે વેતન આયોગના રિપોર્ટ આવવામાં કમસે કમ વર્ષ જેવું લાગી જશે. ત્યાર બાદ જ નક્કી થશે કે કયા સ્ટાફની સેલરી કેટલી વધશે. આ વધેલી સેલરીનું આકલન કરીને પણ ભારત સરકાર પોતાના આગામી બજેટ એટલે 2026-27ના બજેટમાં તેના માટે પૈસાની વ્યવસ્થા કરી શકશે.
ટર્મ ઓફ રિફરન્સની ભલામણ આપવા માટે મંત્રાલયોએ લખ્યું
મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, નાણામંત્રાલયના એક્સપેંડિચર સેક્રેટરી મનોજ ગોવિલે પણ આ સ્વીકાર્યું છે કે આગામી ફાયનાન્સિયલ વર્ષથી જ સરકારી સ્ટાફને આઠમું પગાર પંચ અનુસાર વધેલી સેલરીના પૈસા મળવાનું શક્ય થઈ શકશે. હાલમાં નાણા મંત્રાલયે ડિફેન્સ મિનિસ્ટ્રી, હોમ મિનિસ્ટ્રી અને કાર્મિક અને પ્રશિક્ષણ મંત્રાલયને પત્ર મોકલીને ટર્મ ઓફ રિફરન્સની ભલામણ આપવા કહ્યું છે. તેમના ટર્મ ઓ રિફરન્સને ભારત સરકારની મંજૂરી બાદ ભારત સરકારનું પગાર પંચના કામની પ્રક્રિયા શરુ થશે. મનોજ ગોવિલે એવું પણ જણાવ્યું કે, ટર્મ ઓફ રિફરન્સને ભારત સરકારની મંજૂરી મળતા જ પગાર પંચ પોતાનું કામ શરુ કરી દેશે.
પાછલા કમિશને વર્ષભરથી વધારે સમય લીધો હતો
પાછલા કમીશન એટલે કે સાતમા પગાર પંચે રિપોર્ટ આપવામાં વર્ષભરથી પણ વધારે સમય લીધો હતો. જો આઠમું વેતન આયોગ માર્ચ 2025 સધી બની જશે તો કમસે કમ માર્ચ 2026 પહેલા તેનો રિપોર્ટ આવી શકશે નહીં.
આ પણ વાંચો: દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની યાદી આવી ગઈ, જાણો ટોપ 10માં ભારત છે કે નહીં, પાકિસ્તાનના શું છે હાલ