ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતધર્મમધ્ય ગુજરાત

પાંચ વર્ષ બાદ ગુજરાતના આઠ યાત્રાધામમાં સફાઈ ઝુંબેશ

Gujarat : રાજ્યના કેટલાક સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં છેવટે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મળતા અહેવાલ મુજબ, રાજ્ય સરકારના સાહસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી)એ યાત્રાધામો ધરાવતા આ પર્વતોની પવિત્રતા જાળવી રાખવા માટે ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની દરખાસ્ત મૂકી હતી કે જેને મુખ્યમંત્રીએ મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી દ્વારા મંજૂરી મળતાં જ જીપીવાયવીબીએ અંબાજીમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા પહેલા ગબ્બર પર્વત પર ‘પર્વત પવિત્રતા અભિયાન’ પ્રારંભ કર્યું છે. એટલું જ નહીં, નવરાત્રિ પ્રારંભ થતાં પહેલા પાવાગઢ અને ગિરનાર પર્વતોએ પણ મોટા પાયે સફાઈ કામગીરી શરુ કરવામાં આવશે.

પાવાગઢ મંદિર-humdekhengenews
પાવાગઢ મંદિર

યાત્રાધામોમાં દર્શનાર્થ જતા અનેક શ્રદ્ધાળુઓ ત્યાંની ગંદકીને કારણે હતાશ થતા હતા. જોકે મોટાભાગના શ્રદ્ધાળુઓ એ બાબતની ઉપેક્ષા કરીને દર્શન કરીને પરત ચાલ્યા હતા હતા, પરંતુ અમુક શ્રદ્ધાળુઓએ આ વાત સરકાર સુધી પહોંચાડી હતી. જેને પગલે ગુજરાત સરકારે સફાઈ ઝુંબેશ હાથ ધરી હોવાનું માનવામાં આવે છે.

ગિરનાર પર્વત-humdekhengenews
ગિરનાર પર્વત

લાંબા સમયથી અંબાજી, પાવાગઢ ખાતે આવેલાં શ્રી મહાકાળી મંદિર તથા ગિરનાર તીર્થ જેવા યાત્રાધામો અરવલ્લી, પાવાગઢ અને ગિરનાર પર્વતો પર હોવાના કારણે આ પવિત્ર યાત્રાધામ પરિસરોની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં સફાઈ કામગીરી થઈ શકતી નહોતી. ઉપરથી અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરના ચોકથી કચરો સીધા પર્વતીય ખીણમાં ફેંકી દેવામાં આવે છે. પર્વતો પર આ રીતે ગંદગી થતા પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે અને પર્વતોની પવિત્રતાની સાથે જ જે તે યાત્રાધામની શોભા વિરુદ્ધ છબી ઉત્પન્ન થાય છે.

અંબાજી મંદિર
અંબાજી મંદિર

જીપીવાયવીબી દ્વારા રાજ્યનાં આઠ મહત્વના યાત્રાધામો અંબાજી, શામળાજી, ડાકોર, પાવાગઢ, સોમનાથ, દ્વારકા, પાલીતાણા તથા જુનાગઢ-ગિરનાર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં એપ્રિલ-2018થી હાઈ એંડ ક્લીનલીનેસ (ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા) અભિયાન શરુ કરાયુ હતું. આ સફાઈ અભિયાન હેઠળ આ આઠ યાત્રાધામોમાં મંદિર પરિસર જ નહીં, પણ મંદિરને જોડતા મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર, ગબ્બર, વૉક-વે અને જ્યાં શ્રદ્ધાળુઓ/યાત્રાળુઓ/પ્રવાસીઓનો વધારે ઘસારો રહે છે, તેવા વિસ્તારોમાં ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂરા થતાં રાજ્ય સરકાર ઉજવણી કરશે

Back to top button