ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલ અને તેના પિતા સહિત 6 લોકોની અટકાયત

Text To Speech

અમદાવાદ શહેરના S.G હાઈવેના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગંભીર અકસ્માતની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે.આ ગોઝારા અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ મામલે હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જાણકારી મુજબ મામલે 6 લોકોની અટકાયત કરવામા આવી છે.

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે 6 લોકોની અટકાયત

મળતી માહિતી મુજબ અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે 6 લોકોની અટકાયત કરવામા આવી છે. જેમાં પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા સહિત 3 યુવતીની પણ પોલીસ કરી અટકાયત છે. આ સાથે પોલીસે આરોપીઓ સામે મનુષ્યવધનો ગુનો સહિતની કલમો લગાવવામાં આવી છે.

આ પણ વાંચો : ઇસ્કોન બ્રીજ અકસ્માત કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીશું- હર્ષ સંઘવી

અમદાવાદ અક્સમાત-humdekhengenews

પૂછપરછમાં મોટો ખુલાસા થશે

બનાવની તપાસ ચાલુ છે અને આ મામલે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. પંચનામું, એફએસએલની વિઝિટ પણ થઈ ગઈ છે. RTO અને FSLની જોઈન્ટ વિઝિટ પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ પોલીસ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.

કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે

હર્ષ સંઘવીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે જેમાં તેઓએ આરોપીને કોઈપણ હાલમાં છોડવામાં નહીં આવે તેવી પણ પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. આ કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે. આ સાથે હર્ષ સંઘવીએ આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવશે. જેથી કરીને કોઈ નબીરાઓ ભવિષ્યમાં આવી હિંમત ન કરે તેમ પણ જણાવ્યું હતું. હાલ પોલીસે 6 આરોપીઓની એટકાયત કરી લીધી છે.

આ પણ વાંચો : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલના પિતા અને વકિલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Back to top button