ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

કારમાં 6-એરબેગ હવે ફરજિયાત નહીં, નીતિન ગડકરીની મોટી જાહેરાત!

Text To Speech
  • કારમાં 6-એરબેગને લઈને ગયા વર્ષથી ચર્ચા થઈ રહી હતી કે 1 ઓક્ટોબર, 2023થી દેશમાં વેચાતી તમામ કારમાં 6 એરબેગ ફરજિયાત કરવામાં આવશે. પરંતુ હવે આ નિયમ પર નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે.

મુસાફરોની સુરક્ષા માટે વાહનોમાં એરબેગની સંખ્યા વધારવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. અગાઉના અહેવાલો અનુસાર, એવા સમાચાર હતા કે ઓક્ટોબર મહિનાથી દેશમાં વેચાતી તમામ કારમાં 6-એરબેગ ફરજિયાત કરવામાં આવશે. પરંતુ આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં નવા ક્રેશ ટેસ્ટ નિયમો અમલમાં આવ્યા બાદ સરકાર ભારતમાં પેસેન્જર કાર માટે છ-એરબેગ સલામતી નિયમને ફરજિયાત બનાવશે નહીં.

આ પણ વાંચો: RR Kabelનો IPO ખુલ્યો, ગ્રે-માર્કેટમાં મચાવી રહ્યો છે ધૂમ

ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ACMA)ની વાર્ષિક બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર કાર માટે 6 એરબેગ્સનો નિયમ ફરજિયાત બનાવશે નહીં. તેમણે કહ્યું કે દેશમાં ઘણી વાહન ઉત્પાદક કંપનીઓ છે જે પહેલાથી જ 6 એરબેગ આપી રહી છે અને તે કંપનીઓ તેમની કારની જાહેરાત પણ કરી રહી છે. આવી સ્થિતિમાં, 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાની જરૂર નથી.

6 airbags car-HDNEWS

નીતિન ગડકરીએ કહ્યું કે દેશનું ઓટો સેક્ટર ઝડપથી વધી રહ્યું છે. ભારત તાજેતરમાં જ જાપાનને પછાડી વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે. આવી સ્થિતિમાં વાહનોમાં નવી ટેક્નોલોજીને લઈને સ્પર્ધા પણ વધી રહી છે. વાહન માલિકો પણ નવી ટેક્નોલોજી અને ફીચર્સને પ્રાધાન્ય આપી રહ્યા છે, તેથી કેટલીક કંપનીઓએ તેમના વાહનોમાં 6 એરબેગ્સ સામેલ કરી દીધા છે. આ સ્થિતિમાં, જે બ્રાન્ડ્સ સ્પર્ધાત્મક રહેવા માંગે છે તેઓ તેમના વાહનોમાં 6 એરબેગ્સ પણ આપશે. પરંતુ અમે તેને ફરજિયાત બનાવીશું નહીં.

આ પણ વાંચો: ડીઝલ કાર થશે મોંઘી? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી આ મોટી જાહેરાત

Back to top button