ટોપ ન્યૂઝધર્મનેશનલ

5 લાખનો વીમો, શ્રીનગર-જમ્મુથી રાત્રે ફ્લાઇટ; અમરનાથ યાત્રામાં આ વખતે શું છે ખાસ

  • 1 જુલાઇથી શરૂ થશે અમરનાથ યાત્રા
  • જંક ફૂડ અને તંબાકુ પર પ્રતિબંધ
  • યાત્રા દરમિયાન કોઇ પણ રીતના માંસાહારી ભોજન પર પ્રતિબંધ

આવતા મહિનાથી અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે. અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષાની પુરતી તૈયારીઓ થઇ ગઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમરનાથ યાત્રા દરમિયાન જમીનથી લઇને આસમાન સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે. સાથે જ મુસાફરોની સુવિધા માટે રાત્રે પણ શ્રીનગર અને જમ્મુથી ફ્લાઇટ ઉપલબ્ધ કરવા કહ્યું છે.

ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી:

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે મહિના સુધી ચાલનારી યાત્રા માટે કરવામાં આવતી સુરક્ષા તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.

અમરનાથ યાત્રા-humdekhengenews

અમિત શાહે બેઠક દરમિયાન કહ્યુ કે મોદી સરકારની આ પ્રાથમિકતા છે કે અમરનાથ યાત્રીઓને સરળતાથી દર્શન થાય અને તેમણે કોઇ સમસ્યાનો સામનો ના કરવો પડે. સમીક્ષા દરમિયાન અમિત શાહે યાત્રા માર્ગ પર સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે જેનાથી કોઇ પણ દૂર્ઘટના થતા રોકી શકાય.

1 જુલાઇથી શરૂ થશે અમરનાથ યાત્રા:

અમિત શાહે કેન્દ્ર સરકાર, સેના અને જમ્મુ કાશ્મીર તંત્રના ટોચના અધિકારીઓ સાથે અમરનાથ યાત્રાની તૈયારીની સમીક્ષા કરી હતી. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880 મીટરની ઉંચાઇ પર સ્થિત અમરનાથની પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન માટે 62 ગિવસની વાર્ષિક તીર્થયાત્રા 1 જુલાઇથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

અમરનાથ યાત્રા-humdekhengenews

તમામ મુસાફરોને મળશે 5 લાખ રૂપિયાનો વીમો:

મહત્વપૂર્ણ છે કે તીર્થયાત્રી જમ્મુ કાશ્મીરમાં બે માર્ગ બાલટાલ અને પહેલગામથી યાત્રા કરે છે. બેઠકમાં કહેવામાં આવ્યુ કે તમામ તીર્થયાત્રીઓને આરએફઆઇડી કાર્ડ (RFID Card) આપવામાં આવશે જેથી તેમની વાસ્તવિક વર્તમાન સ્થિતિ (રિયલ ટાઇમ લોકેશન) મળી શકે અને તમામને 5 લાખ રૂપિયાનું વીમા કવર આપવામાં આવશે. તીર્થયાત્રીઓને લઇ જનારા દરેક જાનવર માટે 50,000 રૂપિયાનો વીમા કવર આપવામાં આવશે.

આ પણ વાંચો: બ્રિટનના બોરિસ જ્હોન્સને આપ્યુ સાંસદ પદ પરથી રાજીનામું, જાણો શું છે કારણ?

શ્રીનગર-જમ્મુથી રાત્રે મળશે ફ્લાઇટ:

ગૃહમંત્રી અમિત શાહે તીર્થયાત્રીઓની સુવિધા માટે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનથી તીર્થસ્થળ આધાર શિબિર સુધીના રસ્તા પર વ્યવસ્થિત વ્યવસ્થા કરવા પર ભાર મુક્યો હતો અને શ્રીનગર અને જમ્મુથી રાત્રે વીમાની સેવા ઉપલબ્ધ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

બેઠક દરમિયાન ગૃહમંત્રીએ ઓક્સીજન સિલિન્ડરનો પુરતો ભંડાર અને તેમની રિફિલિંગ સુનિશ્ચિત કરવાનો અને ડૉક્ટરોની વધારાની ટીમો વધારવા કહ્યું છે, તેમણે કોઇ પણ મેડિકલ ઇમરજન્સી સામે લડવા માટે પુરતી સંખ્યામાં એમ્બ્યૂલન્સ અને હેલિકોપ્ટર ઉપલબ્ધ કરવાના આદેશ આપ્યા છે.

અમિત શાહે તીર્થયાત્રીઓ માટે યાત્રા, રોકાણ, વિજળી, પાણી, સંચાર અને સ્વાસ્થ્ય સહિત તમામ જરૂરી સુવિધાની યોગ્ય વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવ્યા છે, તેમણે તીર્થયાત્રાના રસ્તાને સારી સંચાર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને ભૂસ્ખલનની સ્થિતિમાં રસ્તાને તુરંત ખોલવા માટે મશીનો તૈનાત કરવાના આદેશ આપ્યા છે.

અમરનાથ યાત્રા-humdekhengenews

5 લાખ શ્રદ્ધાળુ અમરનાથ પહોચશે:

મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે 3.45 લાખ શ્રદ્ધાળુઓએ બાબ બર્ફાનીના દર્શન કર્યા હતા અને આ વર્ષે આ સંખ્યા 5 લાખની પાર જવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. સૂત્રોએ કહ્યુ કે કોઇ પણ સંભવિત પ્રાકૃતિક દૂર્ઘટનાના ખતરાને જોતા NDRFએ શ્રદ્ધાળુ શિબિરો માટે જગ્યાની ઓળખ કરવાનું શરૂ કરી દીધુ છે.

યાત્રા દરમિયાન શું- શું મળશે?

અમરનાથમાં તીર્થયાત્રીઓને અનાજ, દાળ, લીલી શાકભાજી, ટામેટા, સાગ, ન્યૂટ્રેલા સોયા ચંક્સ, પ્લેન દાળ, સલાડ, ચોખા, ખિચડી, રોટી, મકાઇની રોટી, ચોકલેટ, રસ, બિસ્કુટ, રોસ્ટેડ ચણા, ગોળ, ઇડલી, પૌઆ, વેજિટેબલ સેન્ડવિચ, કાશ્મીરી નાન વગેરે પરોસવામાં આવશે.

  • બીજી તરફ ચા, કોફી, લો ફેટ દહી, શરબત, લેમન જ્યૂસ પણ આપવામાં આવશે.

જંક ફૂડ અને તંબાકુ પર પ્રતિબંધ:

યાત્રા દરમિયાન કોઇ પણ રીતના માંસાહારી ભોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ દારૂ, તંબાકુ, ગુટખા, પાન મસાલા, ધૂમ્રપાન વગેરે પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ સિવાય પુરી, ભટુરા, પિત્ઝા, બર્ગર, ઢોસા, ફ્રાઇડ રોટી, માખણ સાથે બ્રેડ, ફ્રાઇડ પાપડ, વગેરેનો જાયકો તમે લઇ નહી શકો. ડીપ ફ્રાઇડ, હલવો, જલેબી, ગુલાબ જાબુ, રસગુલ્લા જેવી આઇટમ પણ તમે લઇ જઇ નહી શકો.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રીએ ઔરંગઝેબને વિલન દર્શાવવા માટે ગાંધીના હત્યારાને ગણાવ્યો સપૂત; આપ્યું વિવાદાસ્પદન નિવેદન

Back to top button