ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટનાના 35 દિવસ પછી પણ ભારતીય ક્રૂ મેમ્બર્સ જહાજમાં ફસાયેલા

Text To Speech

વૉશિંગ્ટન (અમેરિકા), 05 મે 2024: અમેરિકાના બાલ્ટીમોરમાં પુલ તૂટી પડ્યાને 35 દિવસ વીતી ગયા છે, પરંતુ 20 ભારતીય ક્રૂ મેમ્બર હજુ પણ જહાજમાં ફસાયેલા છે. આ અકસ્માત 26 માર્ચે થયો હતો. જેના કારણે બાલ્ટીમોર બ્રિજનો એક ભાગ તૂટીને નદીમાં પડ્યો હતો.  જો અકસ્માત ન થયો હોત તો ક્રૂ મેમ્બર્સ તેમના ગંતવ્ય સ્થાન શ્રીલંકા પહોંચી ગયા હોત. પરંતુ તેઓને અમેરિકન બંદર શહેર બાલ્ટીમોરના દરિયાકિનારે કાર્ગો જહાજમાં રહેવા મજબૂર બન્યા છે. ડાલીની માલિકીની કંપનીના પ્રવક્તા જિમ લોરેન્સે જણાવ્યું હતું કે ભારતીય ક્રૂ મેમ્બર્સ હજુ પણ ક્રૂમાં હતા અને તેમનું મનોબળ ઓછું થયું નથી.

ક્રૂ મેમ્બર્સ વધુ એક મહિનો રોકાઈ શકે છે

લૉરેન્સે કહ્યું કે, જહાજ પર તેમની ડ્યુટી સાથે જે દુર્ઘટનાની ચાલી રહેલી તપાસમં પણ મદદ કરી રહ્યા છે. તેમનું સતત કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય એમ્બેસીએ હજુ પણ જહાજમાં રહેલા લોકો વિશે માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ તમામ ક્રૂ મેમ્બર્સ થોડા અઠવાડિયા કે મહીના સુધી રહી શકે છે. ત્યારબાદ જ તેમને જવા દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના મેરીલેન્ડમાં એક માલવાહક જહાજ અથડાયા બાદ ‘ફ્રાંસિસ સ્કોટ કી બ્રિજ’નો એક ભાગ તૂટી પડ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ ઘટના અમેરિકન સમય અનુસાર 25મેની રાતે લગભગ 1.30 વાગ્યે બની હતી. પટાસ્પગો નદીમાં કાર્ગોશીપ પુલ સાથે અથડાયા બાદ તેમાં આગ લાગી અને જહાજ ડૂબી ગયું. આ સિંગાપોર ફ્લેગવાળું જહાજ શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. પુલ ધરાશાયી થવાને કારણે તેના પર હાજર અનેક વાહનો પણ નદીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ પણ વાંચો: ભારતીય ક્રૂ મેમ્બર્સની સૂઝબૂઝથી બાલ્ટીમોર બ્રિજ પર મોટી દુર્ઘટના ટળી, યુએસ ગવર્નરે પ્રશંસા કરી

Back to top button