2023માં 3 સોમવતી અમાસઃ એક આવશે ફેબ્રુઆરીમાં, જાણો બીજી ક્યારે


હિન્દુ પંચાંગ અનુસાર દર મહિનામાં અમાસ તો આવે જ છે, પરંતુ સોમવતી અમાસનું ખુબ જ મહત્ત્વ હોય છે. સોમવારે આવનારી અમાસને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષમાં સોમવતી અમાસ ત્રણ વખત આવી રહી છે.
સોમવતી અમાસનું મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર સોમવતી અમાસનું વિશેષ મહત્ત્વ હોય છે. આ પાવન દિવસે પિતૃઓને તર્પણ કરવાથી તેમના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચનાનું પણ ખુબ મહત્ત્વ છે, તેનાથી તમામ મનોકામના પુર્ણ થાય છે. આ પાવન દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાનું પણ શુભ માનવામાં આવે છે.
સોમવતી અમાસની પૂજા વિધિ
આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. શક્ય હોય તો પવિત્ર નદીઓમાં સ્નાન કરો. ઘરના મંદિરમાં દીપ પ્રજ્વલિત કરો. સોમવતી અમાસે ઉપવાસ કે એકટાણું રાખવાનું પણ ખુબ મહત્ત્વ હોય છે. ભગવાન શિવની આરાધના કરીને તેમને ભોગ લગાવો. ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ આરતી કરો. આ દિવસે તમે આખો દિવસ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો.
આ છે વર્ષની ત્રણ સોમવતી અમાસ
1. 20 ફેબ્રુઆરી
(મહા અમાસ)
2. 17 જુલાઇ
(અષાઢ અમાસ)
3. 13 નવેમ્બર
(આસો અમાસ)