ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરામાં નિર્માણાધીન મકાન ધરાશાયી થતા 3 વ્યક્તિઓના મોત

Text To Speech

વડોદરા નજીક આજે બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીંના બામણ ગામે એક નિર્માણાધીન મકાન ધરાશાયી થયું હતું જેમાં કાટમાળ નીચે દબાઈ જતા પ્રથમ એક વ્યક્તિનું અને ત્યારબાદ વધુ બે ઈજાગ્રસ્તોના મોત થયા હતા. આ ઘટનામાં કુલ 3 લોકોના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને કાટમાળમાં દટાઈ ગયેલા પાંચ વ્યક્તિમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

મળતી માહિતી મુજબ, વડોદરાના બામણગામે મકાન ધરાશાયી થતાં 5 લોકો કાટમાળ નીચે દટાયા હતા. જોકે, આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરાતા કુલ 2 લોકોને બચાવી લેવાયા છે અને 3 લોકોના મૃત્યુ નીપજ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Back to top button