2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી બેંકમાંથી બદલી શકાશે, ખાતામાં જમા કરાવી શકાશે નોટો


કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આની જાહેરાત કરતા RBIએ કહ્યું કે ‘Clean Note Policy’ હેઠળ RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 2000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ શકે છે પરંતુ 2000 રૂપિયાની નોટ કાયદેસર રીતે માન્ય રહેશે.
આ પણ વાંચોઃ 2000ની ચલણી નોટ થશે બંધ ! તમારી પાસે હોય તો….
RBIએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. ઉપરાંત, બેંકો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યના ચલણ સાથે બદલી શકાય છે.

હવે સવાલ એ ઊભો થાય છે કે RBIના આ નિર્ણય બાદ જે લોકો પાસે પહેલાથી જ 2000 રૂપિયાની ચલણી નોટો છે તેમની પાસે શું વિકલ્પ છે.
1. જેમની પાસે 2000 રૂપિયાની બેંક નોટ છે, તેઓ આ નોટોને બેંક ખાતામાં જમા કરાવી શકે છે અથવા બેંક શાખામાં જઈને અન્ય નોટો દ્વારા બદલી શકે છે.
2. બેંકોમાં રૂ. 2000ની નોટો બદલવા પર કોઈ નિયંત્રણો નહીં હોય. બેંકો આ અંગે અલગથી નિયમો જારી કરશે.
3. 23 મે, 2023થી રૂ. 2000ની નોટો રૂ. 20000ની મર્યાદા સુધી બદલી શકાશે.
4. જેમની પાસે 2000 રૂપિયાની બેંક નોટ છે તેઓ 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. RBIએ આ અંગે બેંકોને અલગથી માર્ગદર્શિકા જારી કરી છે.
5. 23 મે, 2023 થી, RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં 20000 રૂપિયાની મર્યાદા સુધી, 2000 રૂપિયા એક્સચેન્જ કરી શકાશે.
6. RBIએ બેંકોને 2000 રૂપિયાની નોટ તાત્કાલિક ન આપવા જણાવ્યું છે.
7. RBIએ સામાન્ય લોકોને 2000 રૂપિયાની નોટ બદલવા અથવા બેંકમાં જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવાની અપીલ કરી છે.
2000 રૂપિયાની 10.8 ટકા નોટ ચલણમાં
RBIએ માહિતી આપી છે કે માર્ચ 2017 પહેલા 2000 રૂપિયાની 89 ટકા ચલણી નોટો જારી કરવામાં આવી હતી. જેનું આયુષ્ય 4 થી 5 વર્ષનું છે. 31 માર્ચ, 2018ના રોજ 6.73 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી, જે 31 માર્ચ, 2023ના રોજ ઘટીને માત્ર 3.62 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે પીક વેલ્યુના માત્ર 37.3% છે અને ચલણમાં રૂ. 2000ની કુલ નોટોના માત્ર 10.8% છે. RBIનું કહેવું છે કે અન્ય મૂલ્યોની બેંક નોટો ચલણની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી છે.