કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

વાવાઝોડાની આફત સામે લડવા સૌરાષ્ટ્રમાં NDRFની 16 ટીમો તૈયાર

કુદરતી આફત, ગંભીર દુર્ઘટનાઓ તથા અણધારી આપત્તિઓ સમયે જીવન રક્ષક કામગીરી અર્થે ડિફેન્સ વિંગ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.) ની 16 બટાલિયન સમગ્ર ભારતમાં કાર્યરત છે. ગુજરાત ખાતે સિક્સ બટાલિયનની એક એક કંપની અમદાવાદ, વડોદરા, ગાંધીનગર તેમજ અજમેર ખાતે કાર્યરત છે.જેઓ જરૂરિયાત મુજબ અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ અર્થે મોકલવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં હાલ બિપરજોય વાવાઝોડાને અનુલક્ષીને 16 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. રાજકોટ ખાતે આજરોજ એન.ડી.આર.એફ. ના ડેપ્યુટી કમાન્ડર અજયકુમાર સિંહ પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે આવી પહોંચ્યા હતાં.

સૌરાષ્ટ્ર NDRFની 16 ટીમો આવી પહોંચી

અજયકુમારે જણાવ્યું હતું કે, આગામી તા. 14, 15 જુનના રોજ બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે સૌરાષ્ટ્રમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી કુલ 16 ટીમો અને એક ટીમ દીવ અને એક ટીમ સાઉથ ગુજરાતમાં પહોંચી ચુકી છે.ટીમ દ્વારા સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ આ વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓને સમજાવી સુરક્ષિત જગ્યાએ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર NDRFની ટીમ-humdekhengenews

 ટીમો સ્થાનિક પ્રસાશનના સંપર્કમાં રહી રેસ્ક્યું કામગીરી કરશે

વાવાઝોડા દરમ્યાન ભારે પવનના કારણે વૃક્ષ, થાંભલાઓ કે કાચા મકાનો પડી જવા જેવી ઘટના બને છે. આ તકે સ્થાનિક પ્રસાશનના સંપર્કમાં રહી રોડ-રસ્તા ખુલ્લા કરવા, મકાનોમાં લોકો ફસાયા હોય તો તેઓને સુરક્ષિત બહાર કાઢવા સહિતની કામગીરીમાં એન.ડી.આર.એફ. ના જવાનો જરૂરી સાધન સામગ્રી સાથે મદદરૂપ બનશે તેમ  અજયકુમારે જણાવ્યું હતું .

સૌરાષ્ટ્ર NDRFની ટીમ-humdekhengenews

વડોદરા NDRFની ટીમના 20જવાનો કાર્યરત

રાજકોટ ખાતે હાલ ઇન્સ્પેકટર વિજયકુમારના નેતૃત્વમાં વડોદરા એન.ડી.આર.એફ. ની ટીમના 20જવાનો ફાયર વિભાગ સાથે સતત કાર્યરત છે. તેઓના જણાવ્યા મુજબ એક ટ્રક ભરીને સમાન અમારી સાથે લાવ્યા છીએ. જેમાં ગેસોલીન, ઇલેક્ટ્રિક કટર કે ઝાડ કે લોખંડ કાપવા ઉપયોગી હોય છે. આ ઉપરાંત બ્લેડ, આર,આર, આર.પી.એસ. હથિયારો, બોટ, લાઈફ જેકેટ, રસ્સી સામેલ છે.

સૌરાષ્ટ્ર NDRFની ટીમ-humdekhengenews

NDRFટીમોની કુદરતી આફતોમાં સફળતાપૂર્વક કામગીરી 

આ માટે ફોર્સના વિવિધ વિભાગના જવાનોને ખાસ છ માસની એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેઓનો કાર્યકાળ સામાન્ય રીતે 7 વર્ષનો હોય છે. એન.ડી.આર.એફ. ટીમે આ પૂર્વે મોરબી પુલ દુર્ઘટના, તાઉતે વાવાઝોડા સહીત કુદરતી આફતોમાં સફળતાપૂર્વક કામગરી બજાવી ચુકી છે.

 આ પણ વાંચો : બિપરજોયની ભારે અસર: દ્વારકાધીશ મંદિરની ધજા થઈ ખંડિત, વર્ષો જૂની પરંપરા પણ તૂટી

Back to top button